પંચ વક્ત્ર ભગવાન શિવજીના પંચ મુખનું રહસ્ય

વૈદિક ઋચાઓ પ્રમાણે પરમાત્માને શિવ,શંભુ અને શંકર નામથી નમન કરાયું છે.શિવનો અર્થ કલ્યાણકારી.શંભુ એટલે મંગળદાયક અને શંકર એટલે આનંદનો સ્ત્રોત.ભગવાન શિવ દેવોના દેવ છે.પણ રૂદ્ર રૂપે નથી.ભગવાન શિવની ઈચ્છાથી રજોગુણ રૂપે બ્રહ્મા, સત્વગુણ રૂપે વિષ્ણુ અને તમોગુણ રૂપે રૂદ્ર પ્રકટ થયા છે.આ ત્રણે સદાશિવની અભિવ્યક્તિ છે.

ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં ભગવાન શિવજીના પાંચ સ્વરૂપનું વર્ણન છે.જે શિવજીના પાંચ મુખ છે.

પંચ વકત્ર મહાદેવ

શિવપુરાણમાં પાંચ સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું છે.આ પાંચ મુખ છે ઇશાન, તત્પુરૂષ,અઘોર,વામદેવ ,સદ્યોજાત.

ભગવાન શિવજી પંચવક્ત્ર કહેવાય છે કારણ કે પાંચ મુખ દ્રારા પાંચ રીતે વેદોનું ઉચ્ચારણ કરે છે.વિધી,મંત્ર, ઉચ્ચારણ,નિષેધ અને અર્થવાદ.આધ્યાત્મ અનુસાર ભગવાન શિવજી પાંચ ઇન્દ્રિયોના વિષયોનું પાન કરે છે.કહેવાય છે કે હૃદયમાં પાંચ દ્વારા હોય છે જે શિવજીના પાંચ મુખનું સૂચન કરે છે.ઓમકાર અને નમઃ શિવાય પંચ વકત્ર મહાદેવે પ્રગટ કર્યા છે.

જીવો તરફનું સૂચન શિવ પંચ વકત્ર છે.જીવો પંચેન્દ્રિયનો વિષય આનંદ ભોગવે છે.અવિદ્યાના કારણે જીવ અને શિવ વચ્ચે ભેદ છે.શિવજી હ્રદયની મધ્યમાં બિરાજે છે.હ્રદયના પાંચ દ્વાર પંચ વકત્ર છે.પંચ વક્ત્રની આરાધના કરી જીવાત્મા શિવમય થાય છે.

પુરાણો અનુસાર શિવજીએ તિલોત્તમા નામની અપ્સરાને જોવા પાંચ મુખ પ્રગટ કર્યા હતાં.બ્રહ્માજીની વિનંતીથી વિશ્વકર્માજીએ તિલોત્તમાને દિવ્ય શક્તિથી ઉત્પન્ન કરી હતી.સુન્દ અને ઉપસુન્દ નામના બે અસુરોનો નાશ કરવા માટે.આ બંને અસુરો નિકુંભના પુત્રો હતા.તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી બંને એકબીજાને મારે તો જ નાશ થાય એવું વરદાન મળ્યું હતું.સ્વર્ગ જીતીને ઋષિમુનિઓને ત્રાસ આપતા હતાં.વિશ્વાકર્માજીએ સ્વર્ગ, પૃથ્વી આને પાતાળમાંથી તલ તલ સમાહિત કરી સુંદરતા મેળવી અપ્સરા તિલોત્તમાને ઉત્પન્ન કરી.તલ તલ કરીને અપ્સરા પ્રગટ કરી એટલે તિલોત્તમા કહેવાય છે.

વિન્ધય પર્વત પર મદીરાપાન કરી રહેલા બંને આસુર ભાઇઓ આપસમાં તિલોત્તમા માટે યુદ્ધ કરવા લાગ્યા અને એકબીજાનો નાશ કર્યો.દેવતાઓ ખૂશ થયા.બ્રહ્માજીએ તિલોત્તમાને વરદાન આપ્યું કે સૃષ્ટિમાં જ્યાં વિચરણ કરવું હોય કરી શકે અને કોઇ પણ તિલોત્તમાને એના સૌંદર્યની આભા નિહાળી વધુ સમય એને નિરખી નહીં શકે.

અપ્સરા તિલોત્તમા કૈલાશ પર્વત પર ભગવાન શિવજીને આકર્ષિત કરવા શિવજીની આસપાસ નૃત્ય કરવા લાગી.શિવજીએ પાંચ મુખ પ્રગટ કર્યા.૪ પ્રત્યક્ષ અને ૧ અપ્રત્યક્ષ.પૂર્વ‌ તરફ મુખ સર્વોચ્ચ સત્તા પ્રકટ કરવા, ઉત્તર મુખ માતા પાર્વતી તરફ ક્રીડા કરવા, પશ્ચિમ મુખ આનંદ પ્રકટ કરવા, દક્ષિણ મુખી સંહારનું પ્રતિક અને પાંચમું મુખ તિલોત્તમાને બોધ આપવા.ભગવાન શિવજીના પાંચ મુખને પ્રકટ કરવાનું કારણ તિલોત્તમાની ભક્તિ હતી.

દાર્શનિક માન્યતા પ્રમાણે બ્રહ્માંડ પંચતત્વોથી બન્યું છે.જળ, પૃથ્વી,અગ્નિ,વાયુ અને આકાશ.ભગવાન શિવજી પંચનાથ એટલે પંચમુખી કહેવાય છે. શિવ લિંગ સંપૂર્ણ ચેતના સ્વરૂપ છે.સર્વ સ્વરૂપોની પર છે.શિવજીને પાંચ સ્વરૂપે પૂજવામાં આવે છે જે પંચ બ્રહ્મ મંત્ર કહેવાય છે.આ દર્શાવા મંદીરમાં શિવલિંગ ઉપર ચાર મુખ મુકવામાં આવે છે.પંચમ મુખ ઇશાન સ્વરૂપ ચાર મુખની ઉપર હોય છે .પણ મોટે ભાગે દર્શાવામાં નથી આવતું..અમુક મંદિરમાં શિવલિંગમાં જ મુખની આકૃતિ કંડારવામાં આવી હોય છે.પંચમ મુખ ઉપરની તરફ શુદ્ધ પારદર્શી હોય છે.તત્તપુરૂષ પૂર્વ તરફ અને સોનેરી રંગનુ હોય છે.અઘોર મુખ દક્ષિણ તરફ આને નીલા રંગનું હોય છે.વામદેવ મુખ ઉત્તર તરફ અને કેસરી રંગનું હોય છે.સદ્યોજાત મુખ પશ્ચિમ તરફ અને સફેદ રંગનું હોય છે.

પંચ બ્રહ્મ મંત્ર શિવજીના પાંચ કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્માણ,જીવિકા, વિઘટન, અનુગ્રહ છુપાવવો અને અનુગ્રહ પ્રગટ કરવો્. શિવજીના પાંચ સ્વરૂપ પવિત્ર પંચકોશીય મંત્ર ન_મહ_શિ_વા_ય ના પાંચ અક્ષરને અનુરૂપ છે.

સદ્યોજાતં મંત્ર

સદ્યોજાતં પ્રપધ્યામિ સદ્યોજાતાય વૈ નમો નમઃ|

ભવે ભવે નાતિ ભવે મનસ્વી માં ભવોદ્રવાય નમઃ||

૧ સદ્યોજાત. સદ્યોજાત મનોમય કોશ સાથે જોડાયેલ છે.આત્માનુ આવરણ મન છે .ઇચ્છાશક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વરૂપ શ્વેત વર્ણ .બાળક સમાન પરમ શુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપ છે.જ્ઞાનમૂર્તી જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી વિશુદ્ધ જ્ઞાનનો પ્રકાશ કરે છે. સદ્યોજાત એટલે જન્મ ધારણ કર્યો છે. અસંખ્ય આત્માઓના માધ્યમથી શિવજી પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવે છે દરેક જીવનું અસ્તિત્વ જીવના જન્મ સાથે થાય છે..સૌ પ્રથમ શિવજીના સદ્યોજાત સ્વરૂપની પ્રાર્થના કરવામાં આવે છે.આ સ્વરૂપ અગ્નિ તત્વ અને અહંકારના સ્વરૂપનુ વર્ણન કરે છે.સદ્યોજાત પશ્ચિમ મુખી છે.પશ્ચિમ એટલે પ્રત્યક્ષ. બ્રહ્માજીએ પરમ બ્રહ્મનું ધ્યાન કર્યું ત્યારે ભગવાન શિવજી સદ્યોજાત અવતાર રૂપે અવતરિત થયા.બ્રહ્માજીએ નમન કરી સર્વોચ્ચ દેવતાની આરાધના કરી.ભગવાન શિવજીએ બ્રહ્માજીને જ્ઞાન અને રચનાત્મક શક્તિ પ્રદાન કરી.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘શિ’ છે.આ મુખ રચનાત્મક શક્તિ રૂપે શિવજીનું કાર્ય છે અને મણિપુર ચક્ર સાથે જોડાયેલ છે.યજુર્વેદમાથી પ્રગટ,૩૫ અક્ષર,આઠ કળાઓ શ્વેત વર્ણ વાળો,શાંતિકારક પવિત્ર સદ્યોજાત મંત્ર છે.

૨ વામદેવ.વામદેવ ઉત્તર મુખી છે.કૃષ્ણ વર્ણ છે. વાયુ તત્વ અને મનનું પ્રતિનિધિત્વ કરે છે.ઉત્તરમુખી શિવજીને વામદેવ રૂપે પૂજાય છે.વિપત્તિ કાળમાં રૂદ્ર રૂપ છે.સૃષ્ટિના કાળ છે.પંચ વિકારોનો નાશ કરે છે.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘વા”છે.

વામદેવાયનમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય

નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ |

કલવિકરણાય નમો બલાય નમો

બલવિકરણાય નમો બલપ્રમધનાય નમઃ |

સર્વભૂતદમનાય નમો મનોન્મનાય નમઃ ||

શિવજીનું આ સ્વરૂપ શક્તિ, સુંદરતા અને દેવી તારા સાથે જોડાયેલું છે.વામદેવ વિજ્ઞાનમય કોશ સાથે જોડાયેલ છે.ચિત્ત રૂપે છે.એવુ માનવામાં આવે છે કે વામદેવનો મંત્ર ઉપચારાત્મક કાર્ય કરે છે.શિવજીની સંરક્ષક ઉર્જા છે.અનાહત ચક્ર અને વાયુ તત્વ સાથે જોડાયેલી છે.૬૬અક્ષરનો મંત્ર સામવેદમાંથી ઉત્પન્ન થયો છે.

૩ અઘોર.અઘોર સ્વરૂપ દક્ષિણ મુખી છે.દક્ષિણામૂર્તિ પણ કહેવાય છે.નીલવર્ણ છે.જળ તત્વ છે.અઘોર શિવજીની સંહારકારી શક્તિ છે.ભક્તોના સંકટ સંહારે છે.

અધોરભ્યોડઘ ઘોરેભ્યો અઘોરરેતરેભ્ય:|

સર્વત: સર્વ: સર્વેભ્યો નમસ્તે રુદ્ર રુપેભ્ય: ||

અઘોર સ્વરૂપની આરાધના કરનારા અઘોરી કહેવાય છે.સંસારમા જે અશુભ છે એને ધારણ કરે છે કારણ કે શિવમાં વિદ્યમાન છે.સ્મશાનમા રહી કઠણ તપસ્યા કરે છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘મા’ છે.શિવજીનુ અઘોર સ્વરૂપ પ્રાણમય કોષ અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલ છે.અર્થવેદથી પ્રગટ થયેલો અને ૩૩ અક્ષરનો મંત્ર છે.

તત્પુરૂષ મંત્ર

ૐ તત્પુરૂષાય વિદ્મહે મહાદેવય ધીમહી

તન્નો રૂદ્ર: પ્રચોયાત્

૪ તત્પુરૂષ આ સ્વરૂપ પૂર્વ મુખી છે.પીત વર્ણ છે.પૃથ્વી તત્વના અધિપતિ છે.તપોમૂર્તિ છે તત્ એટલે પરમાત્મા. સગૂણ પરબ્રહ્મ સ્વરૂપ. પરમશિવનુ આ સ્વરૂપ ધ્યાનમાં છે એવું છે અને જગતને આશીર્વાદ આપે છે.

ગાયત્રીમાથી પ્રગટ થયેલો ૨૪ અક્ષરોનો તત્પુરૂષ મંત્ર છે.

પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ન’ છે. તત્પુરૂષ મંત્ર રુદ્ર ગાયત્રી મંત્ર છે.ભૌતિક અસ્તિત્વની પાછળ સર્વોચ્ચ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.આનંદની શક્તિ વ્યક્ત કરે છે.શિવજીની આ ગુપ્ત શક્તિ છે.અન્નમય કોષ સાથે છે.આ સ્વરૂપ મૂળાધાર ચક્ર સાથે જોડાયેલ છે જે એકાગ્રતા મેળવવાની કૃપા કરે છે.

ઇશાન મંત્ર

ઇશાન સર્વવિદ્યાનામીશ્વર :સર્વ ભૂતાન્ન બ્રહ્માદિપતિ

બ્રહ્માણોડધિપતિર્|

બ્રહ્મા શિવો મે અસ્તુ સ એવ સદાશિવ ઓમ્||

૫ ઇશાન.ઇશાન સ્વરૂપ દુગ્ધ વર્ણ અને આકાશમુખી સ્વરૂપ છે.સમગ્ર ચૌદ લોકના સ્વામી અને નિયંત્રણ કરનારા.આ મુખ આકાશ તરફ છે.અન્ય ચાર મુખની ઉપર ચારે દીશાઓને નિયંત્રિત કરે છે.સૃજન, સંતુલન,વિનાશ, નિયંત્રણ અને અરાજકતાની ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે.પંચમુખી મહાદેવની ક્રીડા મૂર્તિ છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ય’ છે. વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલ છે.આ સ્વરૂપ શિવજીની સંપૂર્ણ ઊર્જામય છે.

ઓમકારથી પ્રગટ થયેલો ૩૮ અક્ષરોનો ઇશાન મંત્ર છે.

ભગવાન શિવજી કરૂણાસિંધુ , ભક્ત વત્સલ છે જે ભક્તની ભાવનાને વશીભૂત થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે શિવજીની આરાધના કરતાં પહેલાં શિવજી સમાન ત્યાગી, પરોપકારી,સંયમી, સહિષ્ણુ આને આનંદમય થવાનું છે.શિવજી ધર્મવૃષને વાહન કરે છે .વિવેક, વૈરાગ્ય,શમ અને મુમુક્ષા ધર્મના ચાર ચરણ છે.શિવજી ધર્મના અધિપતિ છે.

શિવજીની આરાધનામાં જટીલતા નથી પણ ભાવનાની પ્રધાનતા છે.આશુતોષ શિવજીએ હળાહળ વિષ ધારણ કરી દેવતાઓ અને સૃષ્ટિની રક્ષા કરી નીલકંઠ કહેવાયા એમ ભક્તો પણ કર્તવ્યોનું પાલન કરી શિવજીની આરાધના કરે.

શિવ તત્વ જીવનમાં ઉતારી શિવતત્વ પ્રાપ્ત કરવાનું છે.એ જ શિવજીની પંચમુખી આરાધના છે.

ભગવદ્ ગીતા દુનિયાનો એકમાત્ર ગ્રંથ જેની જયંતિ ઉજવાય છે.

શ્રીમદ્ આદિ શંકરાચાર્ય શ્રીકૃષ્ણને મેઘસુદંરમ કહ્યા છે.

સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતાં મેઘનુ પાણી એનું પોતાનું ના હોય પણ મીઠાશ એની પોતાની છે.એમ શ્રી ગીતાનું માધુર્ય શ્રી કૃષ્ણનું પોતાનું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીગીતાજીની મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઇ કરી શકે નહીં.શ્રીગીતાજીનો આશય સમજતા આખુંય જીવન ટુંકુ પડે.રોજ રોજ અધ્યયન કરવા છતાં પણ નવીન લાગે છે.

૭૦૦શ્લોકોનો શ્રીગીતાનો ઉપદેશ મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભિન્ન ભિન્ન દાર્શનિક મતનો સમન્વય અને જ્ઞાન માર્ગ, કર્મમાર્ગ અને ભક્તિ માર્ગને સર્વશ્રેષ્ઠ રીતે રજૂ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો શ્વાસ, હ્રદય અને વાણી શ્રીમદ્ ભાગવત્ ગીતા છે..

શ્રીગીતાનું પ્રાગટ્ય અર્જુનનાં અવસાદથી થયું.શ્રીગીતાનો પ્રથમ વિષાદ યોગ દૈન્ય અવસ્થાનું વર્ણન કરે છે.શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત વિશ્વને મહાન ઉપદેશ આપ્યો છે.બરોબર મહાભારતના યુદ્ધ સમયે જ અર્જુને પોતાના શસ્ત્રો મૂકી દીધા.હતા.સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈ શકીએ.કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે.રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ.એના કરતાં કૌરવો રણમાં મારે એવું મરણ સારૂ.ભિક્ષાથી મેળવેલું સારૂ પણ વડીલોને મારીને ભોગો ભોગવવા? વળી અમે જીતીશું કે તેઓ અમને જીતશે?

અર્જુન માટે આ પ્રથમ યુદ્ધ નહોતું. બાણવીર અર્જુન પહેલાં ઘણા યુદ્ધો લડીને જીતી ગયો હતો.છતાંય આ ધર્મ યુદ્ધમાં સ્વજનોને સામે જોતા એને ખેદ થયો.

હે કૃષ્ણ! યુદ્ધ કરવા ઇચ્છાત આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે,મુખ સુકાય છે,શરીરમાં કંપન થાય છે.

ગભરાટ,મુખ સુકાવુ, ધબકારા થવા,ગાત્રો ઢીલા પડી જવા, શરીરમાં કંપન થવું, ભ્રમિત થવું આ અવસાદના લક્ષણો છે.જે અતિક્રિયાત્મક અવસાદ કહેવાય છે.આવી પરિસ્થિતિ ક્યારે ઉભી થાય છે? માનસિક દબાણ,કાર્ય છુટી જવાનો ડર, સ્વજનોને ગુમાવી દેવાનો ભય, ચિંતા,રઘવાટ, સ્પર્ધાત્મક અભિગમ,સમાજનો ડર,પરીક્ષાઓ અને પરિણામોની ચિંતા.આવા કેટલાય નકારાત્મક પરિબળો માનવીને હતાશાના એક દુષ્ચક્રમા ધકેલી દે છે.ક્રોધથી શરૂ કરીને ખેદ સુધી. આખરે આપણને મહેસૂસ થાય છે કે આ જીવન,living mode થી surviving mode પર ચાલી રહ્યું છે.

અર્જુન બીજો કોઇ નહીં પણ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે.સંઘર્ષો,શોષણો અને મનોવ્યથથાથી આપણે જેમ હતાશ થઇને બેસી જઈએ છીએ.

અર્જુને ભીષ્મ પિતામહ અને દ્રોણને જોઇને શસ્ત્રો મૂકી દીધા.યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે એને શું ખબર નહોતી કે સામે પક્ષે પિતામહ અને દ્રોણ છે.તો પછી વિષાદ શા કારણે.કુ રૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતાન,પુત્રાન,સખીન હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતા.દરેક યોદ્ધાને માથે મોતની તલવાર લટકતી હોય છે.આ યુદ્ધમાં કોણ જીતશે,કોણ અને કેટલા મૃત્યુ પામશે કે જીવતા રહેશે.છતાં અર્જુન યુદ્ધ કરતો રહ્યો ભીષ્મ અને દ્રોણનો વધ કરવાન

કોઇ પણ યુગ હોય,ઉન્નતિ અને વિકાસનો સમયગાળો હોય,દરેકને બાજુ પર રાખીને જોઇએ તો મનુષ્ય દરેક સમયે એક જેવી લાગણીઓ ભય,ક્રોધ,લોભ,મોહ,ઇર્ષ્યા,અનુભવે છે.આપણી લાગણીઓ આપણી દીશા નક્કી કરે છે અને દીશા આપણો હેતુ.આપણા વિચારો સતત ગતી કરે છે.

સંસાર પ્રત્યક્ષ છે સાથે જ એક બીજો સંસાર આપણી ભીતર છે.સુખ અને આનંદ બહાર છે અને ભીતર પણ છે.આ બધું મનના કારણે છે.મનને કોણ પ્રેરિત કરે છે?આપણે શેનાથી પ્રેરિત થઇને ખોટું કર્મ કરીએ છીએ? મન મનમાની કેમ કરે છે?

મન સ્થિતી,મન,માનસ નિયંત્રિત કરવા સહેલા નથી પણ પ્રબંધિત કરી શકાય છે.અભ્યાસ અને સકારાત્મક લાગણીઓ મનને પ્રબંધિત કરી શકે છે.

મનના વિષયોમાં ઋગવેદથી કરીને પતંજલિમા અને વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કર્યું છે.

કહેવાય છે કે જેટલાં યુદ્ધ પૃથ્વી, સમુદ્ર કે આકાશમાર્ગે નથી લડાતા એનાથી પણ વધુ માનવીના મનમાં લડાય છે.માનવી આવા યુદ્ધથી મુક્ત રહેવા જાતજાતના સાધનો શોધતો ફરે છે.પણ આખરે હતાશા મળે છે.

આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.ચાર તો મસ્તકમા જ છે.જોનારી દ્રષ્ટિ,સાંભળનારા કાન,ગંધ સુગંધ માટે નાક,રસ સ્વાદ માટે જીભ અને સ્પર્શ માટે ત્વચા.

શબ્દ,રૂપ,રસ,ગંધ અને સ્પર્શ સુખ દુ:ખનુ જ્ઞાન કરાવે છે.પણ જ્ઞાન સાથે ભાવનુ પણ મહત્વ છે.

ભાવ એટલે આપણો સ્વભાવ.સ્વ એટલે ‘હું’ શ્રીકૃષ્ણજીએ શ્રીગીતામા ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે. પોતાની ભીતર બેસી અંતકરણની ગતી વિધી જોવી એ જ અધ્યાત્મ છે.

દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે.જ્ઞાન,કર્મ અને ભક્તિ એક જ ચિત્તની બુદ્ધિ,ઇચ્છા અને ભાવ છે.

ભાવને જાણવા તટસ્થતા જરૂરી છે. પણ તટસ્થતા મનની પ્રકૃતિ નથી.તટસ્થતા કેળવવી પડે છે.સતત અભ્યાસ દ્વારા. એમ મન કાઇ જલદી તટસ્થ થતું નથી.બુદ્ધિના ખેલ સામે મન હારી જાય છે.બુદ્ધિગત સંસ્કાર ભાવને પકડે છે પણ સ્વભાવ બુદ્ધિની પકડમાં આવતો નથી.એટલે જ શ્રીકૃષ્ણજીએ ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે.અંતરયાત્રા એક જ વિકલ્પ છે.

૧) સ્વને જાણવુ.માતા પિતા આપણા શરીરને જન્મ આપે છે.સમાજમાં ઓળખ માટે નામ આપે છે.

પણ આત્માને આપણે જ ઓળખી શકીએ છે.આ આત્મા કદી જન્મતો નથી,મરતો નથી,નિત્ય અને શાશ્વત છે.મનુષ્ય શરીર બાલ્ય અવસ્થાથી યુવાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા ધારણ કરે છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે.જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, આત્મા જૂના શરીર ત્યજી બીજા નવા શરીરો પામે છે.આ આત્માને શસ્ત્રો છેદતા નથી,પાણીથી પલળતો નથી કે પવનથી સૂકવાતો નથી.અગ્નિ બાળતો નથી.નિત્ય,વ્યાપ્ત અને અચળ છે.

સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે.શરીરધારીના આ શરીર નાશવંત છે પણ આત્મા અમર છે

આત્મવિશ્વાસ શું છે?. આત્મવિશ્વાસ એટલે શંકાઓ ન હોવી.મનુષ્ય સામાજ વચ્ચે રહે છે.કર્મ કરવાનો અધિકાર છે.કર્મના ફળની ઇચ્છા રાખ્યા વગર જો કર્મ કરે તો પોતાના પ્રયત્નોનું મહત્વ સમજાય.સફળતા અને નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ કર્મ કરવું.

સતત અભ્યાસ અને મોહ રહીત રહીને મન પર સંયમ કેળવી શકાય છે.

૨)મનને વશ કરવું પણ મનના વશ ન થવું.મન સારો નોકર બને છે પણ સારો માલિક નહીં. મનના માલિક થવા મનની શક્તિથી પોતાને ઉન્નત કરવું જરૂરી છે. મન મિત્ર બને છે તો શત્રુ પણ.

૩) ક્રોધ,લોભ,કામનાઓ શત્રુ છે.આ સ્થુળ શરીરમાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે પણ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. અત્યંત ડગાવનારી ઇન્દ્રિયો, પ્રયત્ન કરતાં વિદ્વાન પુરૂષોના મનને પણ ડગાવે છે.વિષયોમાં ખેંચે છે. વિષયોના ચિંતન કરતાં મોહ થાય છે,મોહથી કામના અને કામનાથી ક્રોધ.ક્રોધથી વિવેક નાશ પામે છે.ભટકતી ઇન્દ્રિયોને મન અનુસરે છે.મનના બંધનમાં જકડાઈ જાય છે.

આપણી લાગણીઓ અને ઇચ્છાઓ સાથે જવાબદારીઓ હોય છે.એક વાર સમજી લેવાય કે પ્રાથમિકતા ક્યાં આપવી તો સ્વકર્મનુ મહત્વ આપમેળે સમજાય જાય છે.પછી કોઇપણ બાહ્ય આર્કષણથી આત્મવિશ્વાસને ક્ષતિ નથી પહોંચતી.

૪) ભગવાનને સર્મપિત રહેવું. સર્મપણની ભાવના.અભ્યાસ યોગ વડે ઇશ્વરને પામવાની ઇચ્છા.ભગવાનની યોજનાઓમાં હસ્તક્ષેપ ન કરવો અને શરીર અને આત્મા ભગવાનમાં જોડી દેવા.કર્મના ફળનો મોહ ત્યાગ.કમળના પાન પર પાણીના બિંદુ ની જેમ રહેવું.કમળના પાન પરના પાણીના બિંદુ અનાસક્ત છે.શરણાગતિ અહંકારના પરમાણુને નષ્ટ કરે છે.પોતાની ક્ષમતા અનુસાર કર્મો કરી કર્તવ્યનું પાલન કર્યા પછી પરમ સત્યને સર્મપણ થવું.

૫) દિવ્યતાના જ્ઞાનનુ મહત્વ. શ્રધ્ધાવાન,તત્પર અને જીતેદ્રિય એટલે કે અભ્યાસથી મન જીત્યું છે,તે પરમ જ્ઞાન પામે છે.એક નાનો પ્રયાસ પણ ભય મુક્ત બનાવે છે.

વૈજ્ઞાનિકોએ મન અને બુદ્ધિનુ સ્થાન એક જ કહ્યું છે.બુ્ધિ જાગૃત અવસ્થા છે અને મન અર્ધજાગૃત.મન દુર્ગુણોનો શિકાર થાય છે.નબળુ પડે છે.શ્રીગીતા બુદ્ધિ કરતાં મનને વશમાં રાખવાની સલાહ આપતો ગ્રંથ છે.

ગીતા યોગીઓ અને તપસ્વીઓ માટેનો જ ગ્રંથ નથી.સાંસારિક જીવન માટે પણ ઉપયોગી છે.શ્રીગીતાના દરેક અધ્યાયમાં શ્રીકૃષ્ણે મનુષ્યને ઉપદેશ આપ્યો છે.

અર્જુન બીજું કોઇ નથી સમગ્ર માનવજાતિનુ પ્રતિનિધિત્વ કરે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં ભીષ્મ અને દ્રોણને જોઇને અર્જુને શસ્ત્રો મૂકી દીધા.એને ખબર હતી કે સામે પક્ષે પિતામહ અને આચાર્ય છે.તો પછી વિષાદનુ કારણ શુ?કુરૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતા,પુત્રો,પૌત્રૌ,સગાઓ અને સખાઓ હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતાં. દરેક યોદ્ધાને માથે લટકતી તલવાર હોય છે.કેટલા જીવશે કેટલા મૃત્યુ પામશે અને ઘાયલ થશે.પણ અર્જુન યુદ્ધ કરતો રહ્યો. પિતામહ અને આચાર્યનો વધ કરવાનું ટાળીને.પોતાના પુત્રનો વધ જોઇને પણ.શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ સમયે જ શ્રીગીતાનો ઉપદેશ આપી જગતને ઘણું ઘણું શીખવ્યુ છે.
ગીતા ધર્મમય છે,જ્ઞાનમાત્રની પ્રયોજિકા છે,અને સર્વં શાસ્ત્રમય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતાએ જગતમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.૭૫ભાષાઓમા શ્રીગીતાના અનુવાદ થયા છે.અંગ્રેજીમાં જ ૩૦૦ અનુવાદ થયા છે.in 1785 Charles Wilkins પહેલું અનુવાદ અંગ્રેજીમાં કર્યું.ત્યાર પછી જગતની દરેક ભાષાઓમાં શ્રી ગીતાના અનુવાદ થયા છે.

In 1785 Charles Wilkins પહેલું અંગ્રેજીમાં અનુવાદ કર્યુ

મહાભારતમાં આને પુરાણમાં અન્ય ગીતા મળી આવે છે.

નવરાત્રી અને નારીત્વ

ગુજરાતના ગરબા અને દાંડીયા રાસ,હરિયાળી ત્રીજ બિહારમાં, બંગાળની દુર્ગા પૂજા, દક્ષિણ ભારતમાં ગોલુ અને મહારાષ્ટ્રમાં ભોન્ડલા અને હાદગા આ ઉત્સવ સ્ત્રીઓને એક જ સ્થળે એકત્રિત કરે છે.

નવરાત્રી નારીશક્તિ દર્શાવતો પર્વ.આસો માસની એકમથી નવ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય છે.સામુહિક આનંદનું સર્વોત્તમ માધ્યમ નવરાત્રી ઉત્સવ છે.સ્ત્રીઓને નારીત્વની અનુભૂતિ કરાવતો તહેવાર એટલે નવરાત્રી.

ભારતના દરેક રાજ્યોમાં નવરાત્રીનું મહત્વ છે.નવરાત્રીનો ઉત્સવ અલગ અલગ રીતે ઉજવાય છે અને રાજ્યોની સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે.રીત રિવાજ અલગ અલગ હોય છે પણ શક્તિ આરાધના દરેક રાજ્યોમા મુખ્ય હોય છે.નારીત્વની ઝલક દરેક રાજ્યોમાં જોવા મળે છે.

નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા આરાધનાનું આ પર્વ નારીના રૂપને નવાજવાનુ અને આદર સન્માન આપવાનું છે.

નવરાત્રી સ્ત્રીઓ માટેનો ઉત્સવ કહી શકાય.ઘરના કામકાજમાં સતત વ્યસ્ત રહેતી સ્ત્રીઓને એક મોકળાશ અને સ્વતંત્રતા આપતો સમય છે.આ ઉત્સવ સામુહિક અને સાર્વજનિક રીતે ઉજવાય છે.ખુલ્લા વાતાવરણમાં ઉજવાતો તહેવાર છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રીના પ્રથમ દિવસથી ભોન્ડલાની શરૂઆત થાય છે જે કોજાગરી પૂનમ સુધી ઉજવાય છે.હસ્ત નક્ષત્રમાં વરસાદ આવ્યા પછી ખેતીવાડીમાં સારો પાક થાય છે.પ્રકૃતિનો આભાર માની ભોન્ડલા નૃત્ય કરવામાં આવે છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કર્યા પછી સાંજે એક પાટ પર હાથીના ચિત્રની રંગોળી કરવામાં આવે છે.હાથી વરસાદનું પ્રતિક છે.દાળ,ચોખા,અન્ય રંગોનો ઉપયોગ કરી રંગોળી કરવામાં આવે છે.પાટ પર લાકડાનો મંડપ મૂકવામાં આવે છે.આ મંડપને ફળો અને ફૂલોથી શણગારે છે.ઘણી જગ્યાએ બે હાથીની આકૃતિ એવી રીતે દીવાલ પર મૂકાય છે જેમાં બંને હાથીની સૂંઢ સામ સામે હોય છે.આ ચિત્રને ફળો અને ફૂલોનો હાર પહેરાવે છે.આ ચિત્ર સમક્ષ ગોળાકારે ફરીને ભોન્ડલા ગીતો ગાવામાં આવે છે.

ભોન્ડલા સજાવટ

ખીરાપતનો પ્રસાદ અર્પણ કરે છે.પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં આવે છે એવી ભાવના સાથે સ્ત્રીઓ અને બાળકીઓ વર્તુળાકારે ફરી લોકગીત સાથે ભોન્ડલાનો આનંદ માણે છે.મોટે ભાગે મહીલા મંડળો દ્વારા રોજ અલગ અલગ ઘરોમાં અને સ્થળોમાં‌ આયોજન થાય છે.સ્ત્રીઓ પોતના ઘરેથી પ્રસાદી બનાવીને લઇ જાય છે.સાથે સાથે આપસમાં આજે કેવી પ્રસાદની વાનગી આરોગવા મળશે એવી અટકળ કરી આનંદ કરે છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રીમાં હળદી કુમકુમ કરવાની પ્રથા છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાને હળદર કંકુનો ચાંદલો કરે છે.પગે લાગીને આશીર્વાદ આપે છે.આ પ્રસંગ ઘરોમાં વધુ રાખવામાં આવે છે.મહેમાન સ્ત્રીઓને ભેટ સોગાદ આપવામાં આવે છે.

ગોલૂ સજાવટ

ગોલૂ દક્ષિણ ભારતમાં શરદ ઋતુનો ઉત્સવ છે.ગોલૂ,કોલૂ,ગોમ્બે,હમ્બા,બોમ્મા,કોલમ જેવા નામોથી આ નવરાત્રી ઉત્સવ તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળમાં ઉજવાય છે.કૃષિ અને હસ્ત કારીગરીને પ્રદર્શિત કરતો પર્વ‌ છે.ગોલૂ પૂજાનું આયોજન ઘરોમાં રાખવામાં આવે છે.ઘરની સ્ત્રીઓ અને આસપાસની પડોશની સ્ત્રીઓ ગોલૂની તૈયારી એકસાથે મળીને કરે છે.

પ્રથમ કળશ પૂજન કરી મૂર્તિઓની સજાવટ અને ગોઠવણી કરવામાં આવે છે.
આ ઉત્સવમાં મૂર્તિઓ, ઢીંગલીઓ અને અન્ય આકારની ગોઠવણ મોટા ભાગે કોઇ વિષયને લગતા હોય છે જેમ કે રોજીંદા જીવનના દ્રશ્યો, ધાર્મિક અને સંદેશો આપતી વાર્તાઓ,રસોઇના વાસણો,રમત ગમત, વગેરે વગેરે.માટી અને લાકડામાંથી ઢીંગલીઓ બનાવી ચમકીલા રંગથી રંગવામાં આવે છે.કોઇ એક પ્રસંગ અનુસાર ઢીંગલીઓ અને મૂર્તિઓને ગોઠવવામાં આવે છે.

નવરાત્રીના પ્રથમ દિવસે ગણપતિ પૂજા કરીને દેવી સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીજીનુ કલસા અહવનમ‌ નામનું અનુષ્ઠાન પરિવારના વડીલો કરે છે.લાકડાના આડીયામા ૩,૫,૭,૯,૧૧,૨૧,એવી સંખ્યામાં મૂર્તિઓની ગોઠવણી થાય છે.આ મૂર્તિઓ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળેલી હોય છે.

પારંપારિક પ્રથામાં વર_કન્યાની લાકડાની ઢીંગલીઓ મૂકવાનો રિવાજ છે.આ જોડાની ઢીંગલીઓ લાકડાની અથવા સૂકા નાળિયેરની હોય છે.દર વર્ષે નવા વસ્ત્રો પહેરાવી ઘરોમાં સ્થાપિત કરે છે.કન્યાને આ લાકડાની ઢીંગલીઓ એના માતા-પિતા દ્વારા ભેટમાં આપવામાં આવે છે.

સાંજના સમયે આંગણમાં રંગોળીઓ કરવામાં આવે છે.વચ્ચે દીપક મૂકે છે.તૈયાર કરેલ ગોલૂને પ્રસાદ અર્પણ થાય છે.શ્લોક અને ભક્તિ ભજનોથી વાતાવરણ આનંદ દાયક હોય છે.

નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે.પુસ્તકો અને વાદ્ય યંત્રો પૂજાના સ્થાને મૂકી પૂજવામાં આવે છે.વિજ્યા દશમીના શુભ દિવસે સમાપન થાય છે.ભગવાનને ધન્યવાદ આપતા ગીતો ગાય છે..સ્થાપના કરેલ કળશને ઉત્તર દિશામાં ફેરવવામાં આવે છે.એક કોલૂ મૂર્તિને સુવાડીને સમાપનનુ પ્રતીકાત્મક રૂપ દર્શાવામાં આવે છે.દેવી દેવતાઓના આભાર માનતા ગીતો ગવાય છે.કોલૂની ઢીંગલીઓ યથાસ્થાને મૂકી દેવામાં આવે છે.

સરસ્વતી પૂજન

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં નવ દિવસ શક્તિ પૂજા થાય છે પણ સરસ્વતી પૂજાનું મહત્વ છે.બાળકને પ્રથમ વિદ્યા આપવાનો શુભ દિવસ નવરાત્રિમાં સરસ્વતી પૂજાથી કરવામાં આવે છે.નવ દિવસ શક્તિ પૂજામાં વિવિધ નૈવેદ્ય ધરાવી એકબીજાને આપવામાં આવે છે.

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં બતુકમ્મા નામથી નવરાત્રી ઉત્સવ હોય છે.આનો અર્થ છે માતાજી સજીવ છે.આ રાજકીય પર્વ સ્ત્રીઓના સન્માન માટે અને સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

બતુક્મા

વિવિધ ફૂલો અને રંગોની સાત પરતથી ગોપુરમ મંદિરની આકૃતિ કરી માતા પાર્વતીની આરાધના સ્ત્રીઓ કરે છે.જો કે આ ઉત્સવ અમાસથી શરૂ કરી અષ્ટમીને દિવસે સમાપન કરે છે.ફૂલોની આકૃતિને નદી તળાવમા પધરાવી દેવાય છે.

દુર્ગા પૂજા.

પૂર્વ ભારત બંગાળ, ઓરિસ્સા, આસામમાં દુર્ગા પૂજા નવરાત્રી દરમિયાન ઉજવાય છે.દુર્ગા પૂજાનો તહેવાર માણવા અને જોવા વિદેશથી પણ લોકો આવે છે.નવરાત્રીના છેલ્લા પાંચ દિવસોમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.દુર્ગા દેવી સિંહ પર બિરાજમાન છે, હાથમાં આયુધો આને શસ્ત્રો છે એવી વિશાળ મૂર્તિઓના પંડાલ સમગ્ર બંગાળમાં જોવા મળે છે.દેવીના હાથમાં શસ્ત્રો નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સિંહ ધર્મનું પ્રતિક છે.

ધુનુચી નૃત્ય દુર્ગા પૂજામાં અતૂટ હિસ્સો ધરાવે છે.માન્યતા છે કે માતા દુર્ગા નવરાત્રીના પાંચમા દિવસે પિયરે આવે છે અને દશમી દશેરાના દિવસ સુધી રહે છે.માતાજીને અનેક પ્રકારના શણગાર,ભોગ, પ્રાર્થના, સ્તુતિઓ કરી પ્રસન્ન કરવામાં આવે છે.દુર્ગા પૂજા સમયે ઘણી પરંપરાઓ જોવા મળે છે.મોટે ભાગે સ્ત્રીઓ સહભાગી થાય છે.આમાનુ એક છે ધુનુચી નૃત્ય.આ પ્રાચીન નૃત્ય છે.આ નૃત્યનો સંબંધ મહિષાસુર વધ સાથે છે.બળવાન મહિષાસુરનો વધુ કરતાં પહેલાં માતા દુર્ગાએ ઉર્જા અને શક્તિ મેળવવા ધુનુચી નૃત્ય કર્યું હતું.આ નૃત્ય સાતમના દિવસે શરૂ કરવામાં આવે છે.ધુનુચી નૃત્ય કરીને જ માતાજીની આરતી થાય છે.એક માટીના વાસણોમા સૂકું નાળિયેર,કોલસા, કપૂર અને અન્ય હવન સામગ્રી રાખીને અગ્નિ પ્રગટાવી ધુનુચીને હાથમાં રાખી ઢોલ નગારા સાથે નૃત્ય થાય છે.પુરૂષો પણ આ નૃત્ય કરે છે.મહિલાઓમા આ નૃત્ય એક સાથે કરવાની પરંપરા છે.મુખમા ધુનુચીનુ પાત્ર પકડી અથવા તો હાથમાં રાખી ગોળ ગોળ ઘુમાવીને નૃત્ય કરવું એક આગવી કળા છે.

ઉલ્લુ ધ્વનિ મહિલાઓના સમુહ દ્રારા એકસાથે એક આવાજ કરવામાં આવે છે..હુલુ કે ઉલોક ધ્વનિ નામથી ઓળખાય છે.આ ધ્વનિ દુષ્ટ આત્માઓને ભગાડી દેશે એવી માન્યતા છે.ઉલ્લુ ધ્વનિની હરિફાઈ પણ રાખવામાં આવે છે.

ઉત્તર ભારતમાં નવરાત્રી ઉત્સવ પ્રભુ રામચંદ્રજીના વિજયનો તહેવાર કહેવાય છે.નવ દિવસ માતાજીની આરાધના કરી શ્રીરામચંદ્રજીએ માતાજીને પ્રસન્ન કરી દસમે દિવસે દશેરાના રાવણ વધ કર્યો હતો.ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું મહત્વ છે.ઘરે ઘરે આ રીતનું પૂજન થાય છે.

કન્યાઓને માતાજી સમાન માની પગના અંગુઠાને પાણીથી ધોઇ કંકુ ચોખા મૂકી કન્યાપૂજાન થાય છે.કન્યાઓને ખીર પૂરી, ચણાનું શાક અને હલવાનું ભોજન અર્પણ કરાય છે.દક્ષિણા આપવામાં આવે છે.માતા દુર્ગાનું એક સ્વરૂપ કુમારી છે.એટલે કુમારી સ્વરૂપ બાળાઓની પૂજા થાય છે.સાથે જ નવ દિવસ હોમ હવનનુ આયોજન કરવામાં આવે છે.આ દરેક કાર્યોમાં સ્ત્રીઓ દ્વારા થાય છે.

ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન માતાજીનુ જાગરણ કરવાની પ્રથા છે.માતાજીના મંદિરોમાં, સાર્વજનિક સ્થળોએ અને ઘરોમાં જાગરણ કરી માતાજીના ભજન કીર્તન થાય છે.જેમા મોટે ભાગે સ્ત્રીઓ સાથે મળીને જાગરણ કરે છે.આ જાગરણમા સરસ્વતી, નિદ્રા દેવી અને હનુમાનજીની પૂજા થાય છે.મતા સરસ્વતી જ્ઞાનની દેવી છે.ભક્તોને માતા સરસ્વતીના આશીર્વાદ પામવા નિદ્રાદેવી કસોટી કરે છે.એટલે નિદ્રા પર વિજય મેળવવા જાગરણ કરે છે.હનુમાનજી રૂદ્ર અવતારે માતાજીનુ રક્ષણ કરે છે.શ્રીરામચંદ્રજીના ભક્ત હનુમાનજીના ચાલીસા કરી જાગરણનો પ્રારંભ થાય છે.વહેલી સવારે માતા તારા રાણીની કથા ગાવામાં આવે છે.

મખરોત્સવ‌ ગોવા રાજ્યમાં નવરાત્રી દરમિયાન ઉજવાતો એક આકર્ષક ઉત્સવ છે.માતાજીના મંદિરોમાં આ મખર એટલે કે પાલખીની સજાવટ થાય છે.આ પાલખીને વિવિધ રીતે શણગારવામાં આવે છે જે જોવાનો એક લ્હાવો છે.મંદિરના પ્રાંગણમાં પાલખી મૂકી માતાજીની સ્થાપના કરે છે.આમ અલગ અલગ દિવસે‌ નવદુર્ગાના નવ સ્વરૂપને બેસાડવામાં આવે છે.આરતી કરીને આ પાલખી આખા મંદિરમાં ફેરવવામાં આવે છે.ઢોલ નગારા અને નૃત્ય સાથે આ વિધી કરે છે.નવરાત્રીમા માતાજી જાગૃત અવસ્થામાં હોય છે એવી શ્રદ્ધા સાથે દસ માતૃકા પૂજન કરવામાં આવે છે.

મખરોત્સવ

શાંતાદુર્ગા,આર્ય દુર્ગા,મહાલ્સા, કાત્યાયની,મહામાયા, કામાક્ષી, વિજય દુર્ગા,ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા આ દસ માતૃકા પૂજનનો મહિમા નવરાત્રિ દરમિયાન હોય છે.માતાજીની મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે.મૂર્તીઓના શણગાર આકર્ષક હોય છે.કોલ પ્રસાદ આરોગવાની ભક્તો રાસ જોતા હોય છે જે શિવ અને શક્તિને અર્પણ થાય છે.માતાજીના આયુધોની પૂજા કરવાનું મહત્વ છે.આ દરેક કાર્યમાં મહિલાઓનો ફાળો અધિક રહે છે.

અમુક સ્થળોએ ભરવાડકોમનો સમુદાય ધનગર નૃત્ય કરે છે.સફેદ વસ્ત્ર અને પાઘડી પહેરીને આ નૃત્ય દશેરાને દિવસે ધનગર નૃત્ય ઢોલ નગારા, વાંસળી જેવા લોક વાદ્ય વગાડી ધીમે ધીમે પગલાને તાલ આપવામાં આવે છે.

ગુજરાતના ગરબા

ગુજરાતી પ્રજા દર વર્ષે નવરાત્રીની રાહ જોતી હોય છે.નવરાત્રી ગુજરાતનો માનીતો તહેવાર છે.મહીનાઓ અગાઉ નવરાત્રિની તૈયારી થાય છે વિદેશથી વસતા લોકો ખાસ નવરાત્રિ ઉત્સવ મનાવવા આવે છે.પ્રથમ દિવસે સ્ત્રીઓ ગરબાની સ્થાપના કરે છે.છિદ્રો વાળા માટીના રંગબેરંગી સજાવટ કરેલા ઘટને ઘરમાં પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે.ઘટમા ધાન અને સીક્કા મૂકીને દીવો દસ સુધી પ્રગટાવે છે.આ ગરબો વિશ્વનું પ્રતિક છે.ગર્ભદીપ આસપાસ તાળીઓના તાલે ફરીને ગરબા ગાવામાં આવે છે.ગરબા નૃત્ય લોક સંસ્કૃતિ છે.પ્રાચીન કાળમાં ગરબો માથે મૂકીને નારીઓ ઘેર ઘેર જઈને ગરબામાં તેલ પૂરાવતી.ઘરના સભ્યો આંગણામાં આવીને ગરબા ગાવાનું કહેતા.ગરબાના દીવામાં તેલ પૂરી સાથે નાની નાની ભેટ પણ આપતા.મોટેભાગે નાની બાળાઓ ગરબો માથે મૂકીને ફરતી.દશેરાને દિવસે ગરબાનું વિસર્જન ધામધુમથી કરવામાં આવે છે.

ગરબા એટલે પગની ઠેસ અને તાળીઓને તાલે વર્તુળાકારે ઘુમીને માતાજીની આરાધના કરાતું નૃત્ય.

ગુજરાતના માતાજીના ગરબા, દાંડીયા રાસ આજે બીન ગુજરાતીઓમાં પણ માનીતા છે.ગરબા અને ગરબી સમૂહમાં પગના તાલે અને તાલીઓ સાથે કરાય છે.પુરૂષો ગરબી ગાય છે અને સ્ત્રીઓ ગરબા ગાય છે.ગરબીમા માત્ર ગાયન જ હોય છે.સાર્વજનિક સ્થળોએ રાત્રે ગરબા દાંડીયા રાસનુ આયોજન થાય છે.સ્થાનના મધ્યભાગમાં માતાજીની છબી સમક્ષ માટીનો ગરબો મૂકવામાં આવે છે.દીવો પ્રગટાવી આરતી સ્તુતિ કરી વર્તુળાકારે ફરીને ગરબા નૃત્ય ગાયન સાથે કરવાનો અનેરો આનંદ આપે છે.

સ્ત્રીઓ પણ પુરૂષોની જેમ એક સામાન્ય મનુષ્ય છે.પણ નારીના સ્વરૂપને પૂજનીય માનવામાં આવ્યું છે.દેવોને મહિષાસુરનો વધ કરવા દુર્ગા શક્તિના શરણે જવું પડ્યું હતું.નારીના વ્યક્તિત્વમાં રહેલી અસીમ શક્તિ આદર્શ સૃષ્ટિનું સર્જન કરી શકે છે.

અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપા દરેક સ્ત્રી સશક્ત જ હોય છે.પ્રકૃતિ અને પુરુષનો વિષય આપણને સાંખ્ય દર્શનમાં જાણવા મળે છે.આ વિશ્વ પ્રકૃતિની દેન છે.ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી શક્તિ સ્વરૂપા છે એમ પ્રાચીન કાળથી માનવામાં આવે છે.પોતાની અંદર રહેલી દુર્ગા શક્તિ સ્ત્રીએ જાતે જ ઓળખવાની છે.ચેતના અને નિર્ણાયક શક્તિ એ જ સ્ત્રીનું સશક્તિકરણ છે.

શિવ પંચાક્ષર સ્તોત્ર.શિવજીના સ્વરૂપનું વર્ણન.

ભગવાન શિવજીની આરાધના કરતાં એક છબી માનસ પટ પર પ્રગટ થાય છે.એક વૈરાગી યોગી, હાથમાં ત્રિશૂળ,,બીજા હાથમાં ડમરૂ, ગળામાં સર્પની અને રૂદ્રાક્ષની માળા, ભસ્મનું લેપન, મસ્તકમાંથી ગંગાજીની ધારા,અર્ધ ચંદ્ર,નંદી વાહન,વાઘનું ચર્મ વસ્ત્ર અને ધ્યાન કરનાર .ૐ નમઃ શિવાય મંત્ર એટલે મહાદેવજી.

દેવી દેવતાઓના આગવા સ્વરૂપમાં દૈવત્વ પ્રગટ થતું હોય છે.આ સ્વરૂપ દ્રારા દેવી દેવતાઓની માનવ આકૃતિનું વર્ણન મળે છે.આ વર્ણન પરથી સ્તોત્રોની રચનાઓ થાય છે.સ્તોત્ર એટલે સ્વરૂપના ગુણગાન ગાવા.સ્તોત્ર ઇશ્વરના તત્વને પ્રગટ કરે છે.આ તત્વ એટલે મહાત્મ્ય.મહાત્મયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.મહાત્મય જાણ્યા વગરની ભગવદ ભક્તિ ઘેટાં પ્રવૃત્તિ છે.જ્ઞાન જેટલું વધશે એટલી ભક્તિ તીવ્ર થશે.ચિત્ત શુદ્ધ થશે.

ૐ નમઃ શિવાય.

ભારતમાં શ્રાવણ માસ એટલે મહાદેવજીની મહિમા આરાધના કરવાના દિવસો.ભક્તો અનેક રીતે મહાદેવજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે.શિવજીની આરાધના કરવા ઘણા સ્તોત્ર મંત્રો છે.

આ સૃષ્ટિ પંચતત્વોથી બની છે.પંચાક્ષર સ્તોત્રમાં પાંચ તત્વ સમાયેલ છે.ૐ બ્રહ્માંડ નો નાદ છે.પંચાક્ષર સ્તોત્રમાં નમઃ શિવાય શિવના પાંચ તત્વો છે.આ પાંચ તત્વો શિવ સ્વરૂપનું વર્ણન કરે છે.

આદિગુરૂ શંકરાચાર્યે શિવ પંચાક્ષર સ્તોત્રની રચના કરી ભગવાન શિવજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે.

પાંચ અક્ષર નમઃ શિવાય . પ્રત્યેક શ્લોક ક્રમશઃ ન,મ,શિ,વા,ય થી શરૂ થાય છે.‘ન’ પૃથ્વી,’મ’ પાણી,’શિ’અગ્નિ,’વા’ વાયુ, ‘ય’ આકાશ.

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મૈ “ન” કારાય નમઃ શિવાય || 1 ||

નાગેન્દ્ર હારાય એટલે ગળામાં નાગનો હાર ધારણ કર્યો છે.
ગરૂડ જ્યારે દરેક સર્પ જાતિનું ભક્ષણ કરતો હતો ત્યારે શિવજીએ સર્પજાતિને ઘરેણાં તરીકે અપનાવી રક્ષા કરી હતી.સમુદ્ર મંથન વખતે ભગવાન શિવજીએ હળાહળ વિષ ધારણ કર્યું.ત્યારે વાસુકી નાગે વિષ ગળાથી નીચે ઉતરવા ન દીધું.પણ શિવજીના ગળામાં દાહ ઉત્પન્ન થવા લાગી.વાસુકી નાગ ગોળ વીંટળાઈ ગયો.વાસુકીનાગ શિવજીનો પરમ ભક્ત છે.શિવજીના વરદાનથી નાગલોકનું રાજ્ય મેળવ્યું છે.

સર્પ ઠંડા લોહી વાળું પ્રાણી છે.વાસુકી નાગ ગળામાં ત્રણ વીટ કરી વીંટળાઈ ગયો છે જે ભૂત,વર્તમાન અને ભવિષ્યનું,.જન્મ મૃત્યુના અનંત ચક્રનું સૂચન કરે છે.સર્પ કુંડલિની શક્તિ, અભિમાન અને ભયનું પ્રતિક છે.અભિમાન ઝેર સમાન છે.જીવ ભયમુક્ત થઈને અવિનાશી નાગેશ્વર સ્વરૂપને પ્રણામ કરે.


ત્રિલોચનાય.ત્ર્યંબક એટલે ત્રિનેત્ર.શિવજીનુ જમણું નેત્ર સુર્ય છે, ડાબું નેત્ર ચંદ્ર છે અને ત્રીજું નેત્ર અગ્નિ છે.ત્રીજુ નેત્ર જ્ઞાન ચક્ષુ કહેવાય છે.બુદ્ધિ,જ્ઞાન અને જાગૃતિ સૂચવે છે.શિવજી મહાયોગી છે.ત્રિનેત્ર એટલે છઠ્ઠું ચક્ર છે બંને ભ્રમરોની વચ્ચે હોય છે.અલૌકિક શક્તિ બતાવે છે.બૌદ્ધ ધર્મમાં ત્રીજું નેત્ર પ્રબોધન પ્રાપ્તિનુ પ્રતિનિધિત્વ કરે છે.

ભસ્મ.ભસ્મ એટલે વિભૂતિ.ભગવાન શિવજીની શોભા અને વૈભવ ભસ્મ છે.પરમ સત્ય દર્શાવે છે.નશ્વર દેહનું અભિમાન કરવું નહીં.એક વાર માટીમાં મળી જશે.ભૌતિક સંસારમાંથી સંપૂર્ણ મુક્ત રહેવું.શિવજીના કપાળ પર ત્રણ ભસ્મની રેખાઓ ત્રણ લોકનું ચિન્હ છે.
વસ્ત્ર.દિશાઓ ભગવાન શિવનું વસ્ત્ર છે.દિગંબર અર્થાત નગ્ન.અંબર એટલે આકાશ.ભગવાન શિવજી સમગ્ર સૃષ્ટિમાં સમાયેલા છે.સર્વભૂત સ્વરૂપ છે.વિશાળ અનંત આકાશ ભગવાન શિવજીનું વસ્ત્ર છે.

મન્દાકિની સલિલ ચન્દન ચર્ચિતાય
નન્દીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય |
મન્દાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય
તસ્મૈ “મ” કારાય નમઃ શિવાય || 2 ||

ગંગા નદી પૃથ્વી અને સ્વર્ગનો સેતૂ કહેવાય છે.સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ ધારણ કર્યું ત્યારે દેવોએ પવિત્ર ગંગાજળ થી ભગવાન શિવજીનો અભિષેક કરી અર્ચના કરી હતી.ગંગાજળ નકારાત્મક ઉર્જા દૂર કરે છે.મસ્તકને શીતળ રાખે છે.

ચંદન.ચંદન શીતળતા બક્ષે છે.ગંગાજળથી અભિષેક કરી ભગવાન શિવજીને ચંદન અર્પિત કરાય છે.

મંદાર પુષ્પ એટલે આંકડના ફૂલ ભગવાન શિવજીને પ્રિય છે. આંકડો ઝેરી હોય છે.રાગ,દ્રેષ, ઇર્ષ્યા,નફરત પણ આપણા જીવનમાં ઝેર ઘોળે છે.જેનાથી દૂર રહેવું

મહાદેવજીના શણગાર અને પૂજામાં જંગલમાંથી મળતી વસ્તુઓ અર્પણ થાય છે.વનના ફૂલો,ધતુરો, બીલીપત્રો, રૂદ્રાક્ષ,ભસ્મ,સર્પોની માળા, પોષાકમાં વાઘનું ચર્મ

શિવાય ગૌરી વદનાબ્જ બૃન્દ
સૂર્યાય દક્ષાધ્વર નાશકાય |
શ્રી નીલકણ્ઠાય વૃષભધ્વજાય
તસ્મૈ “શિ” કારાય નમઃ શિવાય || 3 ||

કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવજી માતા પાર્વતીના મુખ કમળને પ્રસન્ન કરે છે.જગદંબાના સ્નેહને શિવજીએ અર્ધનારીશ્વર રૂપે ધારણ કર્યો છે.શિવ _પાર્વતી એકબીજાના પ્રતિક છે.શિવ આત્માના કારક છે તો પાર્વતી બુદ્ધિના કારક છે.
ભગવાન શિવજીને સુર્ય સ્વરૂપાય કહે છે.સુર્ય સમાન તેજસ્વી,સુંદર,વરદાન આપનાર છે.ઋગવેદમા અગ્નિદેવને રૂદ્ર કહ્યાં છે.રૂદ્ર દેવ રોગ શામક છે.
દક્ષરાજાએ યજ્ઞમાં શિવજીનું અને સતીમાતાનુ અપમાન કર્યું.સતીમાતાએ અગ્નિ ધારણ કર્યો.ભગવાન શિવજીએ દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો.નીલકંઠાય ભગવાન શિવજીના રથ પર વૃષભનુ ચિન્હ છે.કંઠમા વિષ ધારણ કરવાથી શ્રી નીલકંઠાય મહાદેવ કહેવાયા.

દરેક દેવતાઓના યુદ્ધ સમયે રથ પર ધવ્જ હોય છે.શ્રી વિષ્ણુના રથ પર ગરૂડ,શિવજીના રથ પર વૃષભ, શ્રી ગણપતિના રથ પર મૂષક,દેવી દુર્ગાના રથ પર સિંહ.

વશિષ્ઠ કુમ્ભોદ્ભવ ગૌતમાર્ય
મુનીન્દ્ર દેવાર્ચિત શેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનર લોચનાય
તસ્મૈ “વ” કારાય નમઃ શિવાય || 4 ||

વશિષ્ઠ ઋષિ, અગસ્ત્ય ઋષિ, ગૌતમ ઋષિ અને ઇન્દ્ર આદિ દેવતાઓએ ભગવાન શિવજીના મસ્તકની ગંગાજીને જટામાં સમાવી લીધા ત્યારે આરાધના કરી હતી.સુર્ય, ચંદ્ર અને અગ્નિ જેમના નેત્ર છે એવા મહાદેવને નમસ્કાર.

યક્ષ સ્વરૂપાય જટાધરાય
પિનાક હસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગમ્બરાય
તસ્મૈ “ય” કારાય નમઃ શિવાય || 5 ||

સમુદ્ર મંથન કરીને દેવતાઓએ અમૃત કુંભમાંથી અમૃતપાન કર્યું હતું.અસુરોને પરાજિત કરી દેવતાઓને અભિમાન આવી ગયું હતું.દેવતાઓ એમ માનવા લાગ્યા અમે અમર થઈ ગયા છે.
મહાદેવજીએ યક્ષ સ્વરૂપ ધારણ કર્યું.યક્ષમા અપ્રાકૃતિક શક્તિ હોય છે.દેવતાઓ જેવી જ અર્ધશક્તિ ધારણ કરી શકે છે.
મહાદેવજીએ યક્ષ અવતાર ધારણ કરી દેવતાઓ સમક્ષ તણખલું મૂક્યું અને તણખલાંને બાળી નાખવા કહ્યું.દેવતાઓએ પૂરી શક્તિ લગાડી પણ તણખલું હલાવી શક્યા નહીં.ત્યારે આકાશવાણી થઇ કે યક્ષ સ્વરૂપે શિવજી છે.
દેવતાઓએ મહાદેવને વંદન કર્યું.
‘ હું જ કરૂં છું’ એવો અહંકાર આસુરી ભાવ છે.તણખલાના દ્રષ્ટાંતથી શીખ મળે છે કે મહાદેવની આજ્ઞા વગર સંસારમાં એક તણખલું પણ આઘુંપાછું કરી શકાતું નથી.

ભગવાન શિવજી જટાધારી સ્વરૂપ છે.વ્યોમકેશ કહેવાય છે.વ્યોમ એટલે આકાશ.કેશ એટલે વાળ.જટા જેવા કેશ ઉચ્ચત્તમ ચેતના,આત્મ જાગૃતિ અને ઉચ્ચ શક્તિઓનો સંયોગનુ પ્રતિક છે.બુદ્ધિ,દેહ આને આત્માનું સામંજસ્ય જીવનમાં કાંઇ પણ હાંસિલ કરવા માટે જરૂરી છે.
જટા વાયુના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે.જીવોના સ્વામી એવા શિવજી જીવોના શ્વાસમાં વસે છે.
ત્રિશુળ એટલે પિનાક.ત્રણ ગુણોનું આને ત્રણ નાડીઓનુ પ્રતિક છે.સત્વ,રજ,તમે.ઇડા,પિગંલા અને સુષુમ્ણા નાડી.ત્રિશુળ મન, બુદ્ધિ અને અહંકારનું ચિન્હ છે.રાગ,દ્રેષ, અહંકારથી વ્યક્તિ અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે.જે પોતે તો દુઃખી થાય છે આસપાસના લોકોને કષ્ટ આપે છે.આવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહી ભગવાન શિવજીની આરાધના ત્વરિત ફળ આપે છે.ભગવાન શિવજી ત્વરિત ફળ આપનાર દેવ છે.


શિવજી એટલે મહેશ્વર.મૃત્યુ લોકના દેવતા શિવજી ખૂબ દૂર હિમાલયના ઠંડા પહાડોમાં વસે છે.જ્ઞાન, ઇચ્છા અને ક્રીયાની ઉર્જા છે.મહાદેવ નથી ઇચ્છતા કે ભક્તો કઠોર આરાધના કરી શિવજીને રીઝવે.શિવસૂત્ર, “આપણી અંદર બંને તત્વો છે.કાળ અને શક્તિ.બંને જાગૃત થાય તો શક્તિ મહાકાળના દર્શન કરાવે છે.શિવ તત્વનો પ્રકાશ થતાં શક્તિ પ્રગટ થાય છે.

દેવશયની એકાદશી. પૌરાણિક, આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ.

ધર્મ એટલે પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ, ભક્તિ અને મત.

દરેક ધર્મમાં ત્રણ ભાગનું વર્ણન મળે છે.દર્શન એટલે કે તત્વજ્ઞાન, ધર્મ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને અનુષ્ઠાન, વ્રત,જપ,તપ અને ધાર્મિક ક્રિયાઓ.તત્વજ્ઞાન ધર્મનો સાર છે, પૌરાણિક કથાઓ ધર્મના સારનુ વર્ણન કરે છે અને ધાર્મિક ક્રિયાઓ ધર્મનું યથાર્થ પૂર્ણ ચિત્રણ કરે છે.એક ઠોસ સ્વરૂપ બતાવે છે.ધાર્મિક ક્રિયાઓ વિધી અને અનુષ્ઠાન સાથે જોડાયેલી છે.

હિંદુ ધર્મ અદ્રિતીય છે જે તત્વજ્ઞાન અને પરંપરાઓનું સંકલન છે.સનાતન ધર્મ છે.સર્વેશ્વરવાદી છે.બ્રહ્મવાદી છે.આસ્થા, દર્શન અને પૌરાણિક જ્ઞાનનું વર્ણન સવિસ્તાર કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ મનુષ્યોને સારા કર્મો કરવા,જપ,તપ, વ્રત ઉપવાસ કરવાનું વર્ણન પુરાણમાં કર્યું છે.આપણા ગ્રંથો અને પુરાણોમાં રોજ બરોજના જીવનને ધર્મ સંગત રાખવાનું માર્ગદર્શન મળે છે.આપણો આહાર વિહાર ઋતુ મુજબ હોય છે.સાથે ઉત્સવ અને પર્વ પણ ઋતુ અનુસાર આવે છે.

પદ્મ પુરાણ, ભવિષ્ય પુરાણ અને નારદ પુરાણમાં એકાદશી વ્રતનું માહત્મ્ય છે.એક વર્ષમાં ૨૪ એકાદશી હોય છે.અધિકમાસના વર્ષમાં ૨૬ એકાદશી આવે છે.એકાદશી અલગ અલગ નામથી ઓળખાય છે.

દરેક એકાદશી શ્રીવિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારનુ વર્ણન કરે છે.અષાઢ માસમાં દેવપોઢી એકાદશીનું મહત્વ છે.અષાઢ સુદ અગિયારસના દિવસે દેવ શયની એકાદશી આવે છે.ભગવાન વિષ્ણુ ચાર મહિના શયન કરે છે.જગન્નાથ પૂરીની રથયાત્રા પછી દેવશયની એકાદશી આવે છે.

જય જગદીશ.

પુરાણો અનુસાર શ્રીવિષ્ણુની યોગ નિદ્રાને હરિ શયન કહે છે.હરિ શબ્દ સુર્ય, ચંદ્ર,વાયુ માટે પણ કહેવાય છે.હરિ શયન દરમ્યાન વર્ષાઋતુ હોય છે.સુર્યનો તાપ અને પ્રકાશ ક્ષીણ થાય છે.ચંદ્ર વાદળો વચ્ચે ઢંકાઈ જાય છે.સુર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે.કર્ક એટલે કરચલો.ધીમી ગતિએ ચાલે છે.સુર્યનો પ્રકાશ ઓછો થતો જાય છે.દિવસો નાના થતાં જાય છે.પૃથ્વી પર જળ વધે છે અને તાપ ઘટે છે.એટલે આ સમય દરમ્યાન વ્રત,જપ,તપ, અનુષ્ઠાન કરવામાં આવે છે.

શિવ પુરાણ અનુસાર શંખાસુર નામના દૈત્ય સાથે શ્રીવિષ્ણુ ભગવાને લાંબા સમય સુધી યુદ્ધ કર્યુ અને અંતે વધ કર્યો હતો.શ્રીવિષ્ણુ ભગવાન ખૂબ જ થાકી ગયા અને ક્ષીર સાગરમાં વિશ્રામ કર્યો.સૃષ્ટિનો સઘળો કારભાર ભગવાન શિવજીને સોંપી દીધો.શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે.ત્યાર પછી શિવ પુત્ર શ્રીગણેશની આરાધના ભરપૂર ઉત્સાહથી કરવામાં આવે છે.પંદર દિવસ આપણા પુર્વજોને યાદ કરી શ્રાધ્ધ કાર્ય થાય છે.માતાજીના આર્શિવાદ નવરાત્રિમાં મળે છે.આમ શિવ પરિવારની આરાધના આસો મહીના સુધી થાય છે.

વામન અવતાર.

વામન પુરાણ અનુસાર રાજા બલિએ ત્રણેય લોકનું આધિપત્ય મેળવવા અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યા.૯૯ યજ્ઞ સંપૂર્ણ કર્યા.૧૦૦ મા યજ્ઞમાં શ્રી વિષ્ણુ ભગવાન વામન અવતારમાં પ્રગટ થયા.ઇન્દ્રદેવની વિનંતીથી માતા અદીતી અને ઋષિ કશ્યપે તપ કર્યું અને શ્રી નારાયણ બટુક સ્વરૂપે પધાર્યા.વામન અવતાર ધારણ કરી બલિ રાજાના યજ્ઞમાં ગયા.રાજા બલિએ સિંહાસન અર્પણ કર્યું.શ્રી વિષ્ણુ ભગવાને પોતાના ત્રણ પગલાં સમાન દક્ષિણ માંગી.રાજા બલિએ સંકલ્પ કરી પ્રભુની ઇચ્છા પૂરી કરી.શ્રીનારાયણે પોતાનું વામન સ્વરૂપ વધારી એક પગમાં પૃથ્વી,બીજા પગમાં આકાશ અને સ્વર્ગ મેળવી લીધા.ત્રીજો પગ રાજા બલિએ પોતાના મસ્તક પર ધારણ કરવા કહ્યું.મસ્તક પર શ્રી વિષ્ણુભગવાને પગ મુકતાં રાજા બલિ પાતાળ લોકમાં પહોંચી ગયા.શ્રીનારાયણ રાજા બલિની ભક્તિથી ખુશ થયા અને ચાર મહિના રાજા બલિના પાતાળ લોકમાં દ્રારપાળ તરીકે રહ્યા.દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે.સાધુ સંતો ચાર મહિના એક જ સ્થાને રહે છે.કહેવાય છે કે સાધુ-સંતો ચલતા ભલા.સાધુ સંતો હંમેશા વિહાર કરતાં રહે છે અને સમાજને આધ્યાત્મિક વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે.પણ આ ચાતુર્માસમાં સાધુ સંતો એક જ સ્થાને રહે છે.

દેવપોઢી એકાદશીના દિવસે સંત સમાજ શ્રી વિષ્ણુ ભગવાનને પોઢી જવાની વિનંતી કરે છે.શ્રીપ્રભુ પૂછે છે કે જો હું પોઢી જાઉ તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરશે? સાધુ સંતો કહે છે કે અમે કરશું.શ્રીપ્રભુ સાધુ સંતો પર કૃપા કરી પોઢી જાય છે.દેવપોઢી એકાદશી પછી ગુરૂ પુર્ણિમા આવે છે.ભારતમા ગુરૂપૂર્ણિમા શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.

તુમ પૂર્ણ પરમાત્મા,તુમ અંતર્યામી,

પારબ્રહ્મ પરમેશ્વર,પારબ્રહ્મ પરમેશ્વર

તુમ સબ કે સ્વામી.

જગત બ્રહ્મનો ગુણ છે.બ્રહ્મ વિશ્વમાં છે અને વિશ્વથી પર છે.શ્રી વિષ્ણુ બ્રહ્મ છે.જગતના પાલન કર્તા છે.પાલન કર્તા એટલે પર્યવેક્ષક (supervisor).પાલન કર્તા નિરીક્ષણ કરે.જગતનુ પર્યવેક્ષણ  કરે છે.બ્રહ્મ ઇશ્વરનું વિરાટ સ્વરૂપ છે.બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત_ઉપાદન કારણ છે.જગત રૂપે પ્રગટ થાય છે ત્યારે તેનો ‘આવિર્ભાવ’ થયો કહેવાય છે.પ્રલય સમયે તેના તત્વો છુપાઇ જાય છે ત્યારે તેનો’તિરોભાવ’ થયો કહેવાય છે.એક માંથી અનેકની ઉત્પત્તિ.અને પ્રલય સમયે પુનઃએક માં જ વિલીન થવું.

તુમ હો એક અગોચર,સબ કે પ્રાણપતિ

શ્રીવિષ્ણુ ભગવાન નિદ્રાધીન હોય છે ત્યારે વર્ષાઋતુ હોય છે.પૃથ્વી જળથી તરબોળ થઇ જાય છે જે વાર્ષિક પ્રલય કહેવાય છે.પૃથ્વીની ક્ષમતા ઘટી જાય છે.ભગવાન વિષ્ણુના દસ અવતાર સાગરમાં જડીબુટ્ટી બનાવે છે.વર્ષાઋતુ પછી પૃથ્વી ઉપજાઉ થાય છે.પૃથ્વી પર લીલીછમ હરિયાળી છવાઈ જાય છે.

દેવપોઢી એકાદશી દેવશયની છે.શ્રીનારાયણની નિદ્રા વિશ્વના વિલોપનનું પ્રતીક છે.વિશ્વનુ અસ્તિત્વ રહે છે.શ્રી નારાયણનું જાગવું એટલે દેવ ઉઠી એકાદશી છે વિશ્વનું સૃજન દર્શાવે છે.

શ્રીવિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર નિદ્રાધીન થાય છે.ક્ષીર એટલે દૂધ.ક્ષીર સાગર અનંત છે.શેષનાગ શ્રીવિષ્ણુ ભગવાનના મસ્તક પર સ્થિર રહે છે.શેષનાગ કાળ સમાન છે.કાળ એટલે સમય.સમગ્ર સૃષ્ટિ નાશ પામ્યા પછી પણ શેષનાગનુ અસ્તિત્વ રહે છે.એટલે ‘શેષ’ કહેવાય છે.મૂળમા નાગ પાતાળ લોકમાં નિવાસ કરે છે.ભૌતિક સંપત્તિ પાતાળ લોકથી મળે છે.વટવૃક્ષના મૂળ પૃથ્વીની તળે હોય છે,ખનીજ સંપતિ,જળના સ્તોત્ર દરેક જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે.પાતાળ લોકમાં પ્રકૃતિની ઉર્જા ગૂઢ રૂપે હોય છે.શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે.શ્રીવિષ્ણુ ભગવાન પાલન કરે છે.

તુમ કરૂણા કે સાગર,તુમ પાલન કર્તા, સ્વામી તુમ પાલન કર્તા.

વિષ્ણુ પુરાણમાં અને માર્કડેય પુરાણમાં એકાદશીના વ્રતનું માહત્મ્ય છે.પદ્મ પુરાણ અનુસાર ‘એકાદશી’ શ્રી વિષ્ણુ ભગવાનની શક્તિ છે.એકાદશી એટલે અગિયારસ.૧૧ ઇન્દ્રીયો.૫ જ્ઞાનેન્દ્રિય,૫ કર્મેન્દ્રિય અને ૧ અંત:કરણ.

ચાતુર્માસમાં આત્મન,અધ્યયન, ઉપાસના કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે.શારિરીક અને માનસિક આરોગ્યની જાળવણી કરવાનો સમય હોય છે.વર્ષાઋતુમા હવા અને પાણી ભારે થાય છે.જંતુ કીટાણુઓને લગતી બિમારીઓ વધી જાય છે.જળ વધે છે અને તાપ ઘટે છે .આવા સમયે આહાર વિહારનો બદલાવ જરૂરી છે.

પુરાણોમા દિવસમાં એક વખત ભોજન કરીને એકાદશી કરવાનું કહે છે.આ પર્વ દરમિયાન વ્રત,જપ તપથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નાશ પામે છે લોહીનું શુદ્ધીકરણ થાય છે અને ચયાપચયની ક્રિયા એક સરખી થાય છે.ઉપવાસમા લેવાતો આહાર યોગ્ય હોવો જોઈએ.

પુરાણો અનુસાર શ્રીવિષ્ણુભગવાને પાતાળ લોકમાં બલિરાજાના મહેલમાં ચાર માસ દ્રારપાળ તરીકે રહેવાનું વરદાન બલિરાજાને આપ્યું.માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યો અને શ્રીહરિને મુક્ત કરવા વિનંતી કરી.ત્યારથી શ્રી વિષ્ણુ ભગવાનના આપેલ વરદાનનુ પાલન ત્રણેય દેવતાઓ કરે છે.

શ્રીવિષ્ણુ ભગવાન દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી, ભગવાન શિવજી મહાશિવરાત્રી સુધી અને શ્રીબ્રહ્માજી શિવરાત્રીથી દેવ શયની સુધી.

દીનબંધુ દુઃખ હર્તા, ઠાકુર તુમ મેરે,સ્વામી રક્ષક તુમ મેરે

આપને હાથ ઉઠાઓ,અપને શરણ લગાઓ, દ્રાર પડે તેરે

ઓમ જય જગદીશ હરે.

ડોલોત્સવ રંગપંચમી

મહાસુદ પાંચમના વસંતઋતુનું આગમન થાય છે.વસંત ઋતુ ‘ઋતુરાજ’ કહેવાય છે.સમસ્ત ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.કોયલના ટહુકા વાતાવરણને સંગીતમય કરે છે.માનવ મન પણ પ્રફુલ્લિત બને છે.સર્વત્ર આનંદનું વાતાવરણ છવાઈ જાય છે.વસંતપંચમીથી ફાગણ સુદ પૂનમ સુધી ૪૦ દિવસ વસંતોત્સવ મનાવવામાં આવે છે.નંદગામ બરસાનામાં લઠ્ઠમારહોરી થાય છે જે જોવા અને માણવા વિદેશીઓ પણ આવે છે.
વ્રજમાં આ દિવસો ઉલ્લાસભેર ઉજવાય છે.કારણ કે આ દિવસો દરમિયાન શ્રીકૃષ્ણે ગોપી ગ્વાલો સાથે રંગ ઉડાડી વસંતોત્સવનો આનંદ ઉજવ્યો હતો.આ પરંપરાને વ્રજવાસીઓએ આજે પણ રાખી છે.

વ્રજમાં આ દિવસો ઉલ્લાસભેર ઉજવાય છે.કારણ કે આ દિવસો દરમિયાન શ્રીકૃષ્ણે ગોપી ગ્વાલો સાથે રંગ ઉડાડી વસંતોત્સવનો આનંદ ઉજવ્યો હતો.આ પરંપરાને વ્રજવાસીઓએ આજે પણ રાખી છે.

આ દિવસોમાં વ્રજજનો રોજ રંગની છોળો ઉડાડતા નાચ ગાન કરે છે.હોળી પ્રાગટ્યના બીજે દિવસે એટલે ધૂળેટીને દિવસે ડોલોત્સવ ઉજવવામાં આવે છે.

એક કથા પ્રમાણે શ્રી જગન્નાથજીએ પરમ વૈષ્ણવ રાજા ઈન્દ્રધુમ્નને આજ્ઞ કરી કે એક વર્ષમાં મારા બાર મહોત્સવ ઉજવવા, તેમાં મારો ડોલોત્સવ કરવો.

ઝૂલત ડોલ નંદકુમાર, ચહું ઔર ઝૂલવત બ્રજ સુદંરી ગાવત સરસ ધમાર, વામભાગ વૃષભાન નંદિની,સાજે સકલ સિંગાર,’આસકરન’ પ્રભુ મોહન ઝૂલત, બ્રજકે પ્રાણ આધાર

ડોલ એટલે પત્ર પુષ્પથી સજાવેલો ઝૂલો.શ્રીકૃષ્ણ અને શ્રી રાધિકા વ્રજ ભક્તો સાથે હોળી ખેલનો આનંદ માણે છે.

વ્રજલીલાની ભાવના પ્રમાણે શ્રીનંદરાયજી અને યશોદાજી શ્રી બાળકૃષ્ણને વાત્સલ્ય ભાવથી ડોલ ઝૂલાવે છે.એક અન્ય ભાવ પ્રમાણે ગોવર્ધનની તળેટીમાં સદા વસંત ખીલેલી રહે છે.ફળ,ફૂલો, વૃક્ષો, લતાઓ ઇત્યાદિની વિનંતીથી શ્રીપ્રભુએ ડોલોત્સવ મનાવી સૌનો અંગીકાર કરી કૃતાર્થ કર્યા છે.

ફાગણ સુદ પૂનમના દિવસે શ્રીકૃષ્ણ અને શ્રીરાધિકજી વ્રજ ભક્તો સાથે કેસુડા અને વિવિધ રંગોથી હોળી ખેલનો આનંદ માણે છે.બીજે દિવસે અથવા તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ડોલોત્સવ ઉજવાય છે.

પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીએ ઉત્સવ ક્રમમાં ડોલોત્સવની પરંપરા ચાલુ રાખી છે.

પુષ્ટિ સંપ્રદાયમાં હવેલીમાં અને વૈષ્ણવોના ઘરોમાં ડોલોત્સવ મનાવવામાં આવે છે.સફેદ પીછવાઇ અને સફેદ ઝાલર બાંધવામાં આવે છે.શ્રીપ્રભુને સોનાનાં તથા મીનાના આભરણ ધરવામાં આવે છે.

રાજભોગની આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બીરાજે છે.મહારાજશ્રી અને મુખીયાજી રંગો અને કેસુડાથી વૈષ્ણવ ભક્તો ઉપર રંગ ઉડાડે છે.શ્રીપ્રભુ,ડોલ,પીછવાઈ,ઝાલર રંગોથી તરબતર થઇ જાય છે.શ્રીપ્રભુ સમક્ષ હોળી ખેલના કિર્તન અને ધમારના પદ ગવાય છે.

પુષ્ટિ ભક્તિમાં ‘દાસ્યભાવ’ પ્રધાન છે, પરંતુ આ દિવસોમાં વ્રજ ભક્તો દાસ્ય ભાવ ભૂલી સખ્યભાવથી શ્રીકૃષ્ણને વિવિધ રંગોથી ખેલાવે છે.દાસ્ય ભાવ એટલે સર્મપણનો ભાવ.સખ્ય ભાવ એટલે મિત્રતા.સખા ભક્તિ.ચાર પ્રકારના ભક્તો_ સાત્વિક,રાજસ,તામસ અને નિર્ગુણ.આમ ડોલોત્સવમા ચાર ખેલના દર્શન હવેલીમાં થાય છે.શ્રીપ્રભુ વ્રજમાં વિવિધ સ્થાનોમાં ડોલ ઝૂલ્યા છે એ ભાવનાથી ચાર ભોગમાં વિવિધ સામગ્રી ધરાવવામાં આવે છે.

ચોથા ભોગના દર્શન પછી આરતી થાય છે.શ્રીપ્રભુ નિજ મંદિર માં પધારે છે.વૈષ્ણવ ભક્તો ડોલની પરિક્રમા કરે છે.તરત જ ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે.જેથી શ્રીઠોકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે.પુષ્ટિ માર્ગમાં બાળ સ્વરૂપની ભક્તિ થાય છે.જેમ આપણે આપણા બાળકો નું જતન કરીએ છીએ એમ જ માતા યશોદાના બાળકૃષ્ણની સેવા વૈષ્ણવ ભક્તો કરે છે.

પુષ્ટિ સંપ્રદાયમાં આરાધ્ય પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ છે.શ્રીકૃષ્ણની સેવા રસેશ્વર શ્રીકૃષ્ણની રસાનંદની અનુભૂતિ કરાવે છે.પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલીમાં રાગ,ભોગ આને શૃંગાર નો સમન્વય છે.શ્રી ગુંસાઈજીએ બાર માસના ઉત્સવો નિશ્ચિત કર્યા છે.વ્રજના મંદિરોમાં ૪૦ દિવસો સુધી ઉત્સવ ચાલે છે.ગોકુળ,મથુરા, વૃંદાવનમાં ધૂમધામ સાથે ઉત્સવ ઉજવાય છે.ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરાઓ અને શાસ્ત્રો સાથે જોડાયેલી છે.આનંદની પ્રાપ્તિ માનવી જીવનનું ધ્યેય રહેલું છે.આપણા પર્વો અને ઉત્સવો આ ધ્યેય અભિવ્યક્ત કરે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એક માર્ગદર્શિકા

વેદ વ્યાસજીની રચના, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ શ્રીગીતાનુ અધ્યયન ફક્ત આધ્યાત્મિક નથી પણ સ્વ સહાય કરે છે.જાતને ઓળખવી અને વાસ્તવિકતા તરફ સચોટ દ્રષ્ટિકોણ રાખવામાં પંથ દર્શક છે.આજે સ્વ સહાય self help શીખવતી ઘણી માહિતી ઉપલબ્ધ છે જે કેમ મેળવવું, શું જોઈએ છે, કેટલું હોવું જોઈએ એના પર કેન્દ્રિત હોય છે.જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉચ્ચત્તમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સંદેશ આપે છે.

આપણા રોજિંદા જીવનમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.મોહ,લોભ, ક્રોધ, અંહકાર, ઇર્ષા જેવી અનેક નકારાત્મક પરિસ્થિતિ આપણી આસપાસ વીંટળાઈ રહે છે.

આજના સ્પર્ધાત્મકતા યુગમાં ટકી રહેવા માટે બાળકો અને યુવાવર્ગને તનતોડ પ્રયાસો કરવા પડે છે.જ્યારે ધાર્યું પરિણામ મળતું નથી તો નિરાશા, ગ્લાનિ,હતાશા,ભેદભાવ, જેવા પરિબળો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા પ્રેરીત કરે છે.

આપણું જીવન પણ કુરૂક્ષેત્રના યુદ્ધ જેવું છે.આપણને વારંવાર વિષાદ થાય છે, નિર્ણયો લેવામાં અવઢવ થાય છે.

શ્રીગીતાના દરેક શ્લોક સકારાત્મક અભિગમ કેળવવામાં માર્ગદર્શન આપે છે.સ્વયં શ્રીકૃષ્ણજીએ  અર્જુનને કહ્યું છે કે નિર્ણય લેવામાં તું સ્વતંત્ર છે.

આપણા જીવનમાં જ્યારે આવી સ્થિતિ બને ત્યારે શ્રી ગીતાજીના શ્લોકનું વાંચન યોગ્ય માર્ગ બતાવે છે.વ્યવહારિક સમાધાન બતાવે છે.

જ્યારે પણ સમય મળે ત્યારે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ.નીચે આપેલા અધ્યાય અને શ્લોકો એક માર્ગદર્શિકા પૂરી પાડે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એક સમાજ શાસ્ત્ર અને મનોવૈજ્ઞાનિક ગ્રંથ છે.

ક્રોધ.

અધ્યાય ૨ શ્લોક ૬,૬૨,૬૩.

અધ્યાય ૫ શ્લોક ૨૬,

અધ્યાય ૧૬ શ્લોક ૧,૨,૩,૨૧.

લાલસા

અધ્યાય ૩  શ્લોક ૩૭,૪૧,૪૩

અધ્યાય ૫ શ્લોક ૨૨ અને અધ્યાય ૧૬ શ્લોક ૨૧.

લોભ.

અધ્યાય ૧૪ શ્લોક ૧૭,અધ્યાય ૧૬ શ્લોક ૨૧,

અધ્યાય ૧૭ શ્લોક ૨૫.

ઇર્ષ્યા, દ્રેષ

અધ્યાય ૧૨ શ્લોક ૧૩,૧૪,અધ્યાય ૧૬ શ્લો૧૯

અધ્યાય ૧૮ શ્લોક ૭૧.

પ્રલોભન.વિષયોથી વશ થવું,મોહ માયા

અધ્યાય ૨ શ્લોક ૬૦,૬૧,૭૦

અધ્યાય ૭ શ્લોક ૧૪

અહંકાર ગર્વ, અભિમાન,કઠોરતા

અધ્યાય ૧૬ શ્લોક ૪,૧૩,૧૫

અધ્યાય ૧૮ શ્લોક ૨૬,૫૮

ભય,રાગ,બંધન

અધ્યાય ૪ શ્લોક ૧૦

અધ્યાય ૧૧ શ્લોક ૫૦

અધ્યાય ૧૮ શ્લોક ૩૦

અવસાદ, ખિન્નતા, દુર્બળતા Depression

અધ્યાય ૨ શ્લોક ૩,૧૪,અધ્યાય ૫ શ્લોક ૨૧

અસ્પષ્ટતા, મૂઢ ચિત્ત,confusion

અધ્યાય ૨ શ્લોક ૭,

અધ્યાય ૩ શ્લોક ૨

અધ્યાય ૧૮ શ્લોક ૬૧

પ્રેરણાહીન demotivate

અધ્યાય ૧૧ શ્લોક ૩૩

અધ્યાય ૧૮ શ્લોક ૪૮,૭૮

ભેદભાવ,પક્ષપાત, discriminated

અધ્યાય ૫ શ્લોક ૧૮,૧૯

અધ્યાય ૬ શ્લોક ૩૨

અધ્યાય ૯ શ્લોક ૨૯

મનમાં ગુનેગાર હોવાની લાગણી થવી, અધર્મી

અધ્યાય ૪ શ્લોક ૩૬,૩૭

અધ્યાય ૫ શ્લોક ૧૦

અધ્યાય ૯ શ્લોક ૩૦

અધ્યાય ૧૦ શ્લોક ૩

અધ્યાય ૧૪ શ્લોક ૬

અધ્યાય ૧૮ શ્લોક ૬૬

બુદ્ધિ પર કાબુ ન કરી શકવું.મનની ચંચળતા

અધ્યાય ૬ શ્લોક ૫,૬,૨૬,૩૫

વિસ્મૃતિ

અધ્યાય ૧૫ શ્લોક ૧૫,અધ્યાય ૧૮ શ્લોક ૬૧

આશા છુટી જવી કે ભરોસો ન રહેવો. No hope

ફળ મેળવવાની આશા ન રહેવી

અધ્યાય ૪ શ્લોક ૧૧,

અધ્યાય ૯ શ્લોક ૨૨,૩૪

અધ્યાય ૧૮ શ્લોક ૬૬,૭૮

એકલતા લાગવી  Loniless

અધ્યાય ૬ શ્લોક ૩૦

અધ્યાય ૯ શ્લોક ૨૯

અધ્યાય ૧૩ શ્લોક ૧૬,૧૮

સ્વજનોનું મૃત્યુ અને વેદના

અધ્યાય ૨,શ્લોક ૧૩,૨૦,૨૨,૨૫,૨૭

આળસ,પ્રમાદ,કર્મ કરવાની ઇચ્છા ન થવી

અધ્યાય ૩ શ્લોક ૮,૨૦

અધ્યાય ૬ શ્લોક ૧૬

અધ્યાય ૧૮ શ્લોક ૩૯

ક્ષમા કરી દેવી, મુક્ત કરવું,forgiveness

અધ્યાય ૧૧ શ્લોક ૪૪

અધ્યાય ૧૨ શ્લોક ૧૩,૧૪

અધ્યાય ૧૬ શ્લોક ૧,૨,૩

મનની શાંતિ માટે

અધ્યાય ૨ શ્લોક ૬૬,૭૧

અધ્યાય ૪ શ્લોક ૩૯

અધ્યાય ૫ શ્લોક ૨૯

અધ્યાય ૮ શ્લોક ૨૮

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન યોગ,કર્મ યોગ અને ભક્તિ યોગ છે.ત્રણ માર્ગ છે પણ ગંતવ્ય destination એક છે.

શું શ્રીમદ્ ભાગવત્ ગીતા અને શ્રીમદ્ ભગવદ્ પુરાણમાં શું સામ્ય છે?

ભારતીય શાસ્ત્રો ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા છે.ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય ખજાનો વેદ છે. વેદ એટલે જ્ઞાન.જ્ઞાન સનાતન છે. ઇશ્વરની વાણી સમાન વેદ ભારતીય તત્વદર્શનની આધારશીલા વેદ છે.સાંસ્કૃતિક વિરાસત એવા વેદ અને શાસ્ત્રોને સમજવા અને જાણવા આવશ્યક છે.

બુદ્ધિ હંમેશા સત્ય શોઘવાની કોશિશ કરે છે.આવશ્યક્તા જવાબની નહીં પરંતુ પ્રશ્ન સમજવાની છે.પ્રશ્ન સમજાય તો જવાબ મળે જ.

આપણા આધ્યાત્મિક શાસ્ત્રો પરમ સત્ય જાણવાનો પ્રયત્ન કરે છે. અર્જુન માટે કુરૂક્ષેત્રનુ યુદ્ધ પહેલી વાર નહોતું.અર્જુન પાસે યુદ્ધ લડવાનું કૌશલ્ય હતું.કૌશલ્યતા પરંપરાગત હતી.સગા સંબંધીઓ, વડીલો અને આચાર્ય સાથે યુદ્ધ કરતાં પહેલાં એના મનમાં વિષાદ જાગ્યો હતો.એવી રીતે રાજા પરિક્ષિત રાજ્ય કરવામાં નિપુણ હતા.શ્રીકૃષ્ણના સખા અર્જુન અને પ્રિય ભગીની સુભદ્રાના પુત્રના પુત્ર પરાક્રમી રાજા પરિક્ષિત હતા.અપમાનિત ઋષિ પુત્રના શ્રાપ મળતાં રાજપાટ છોડીને ભગવંત મહિમા સાંભળે છે.

અર્જુન જેવા મહાયોદ્ધાએ પ્રશ્નો કર્યા અને શ્રી ગીતાનું તત્વજ્ઞાન જગતને મળ્યું.અને રાજા પરિક્ષિતના પશ્ચાતાપ રૂપે શ્રીશુકદેવ સાથેના વાર્તાલાપમાં શ્રીમદ્ ભાગવત્ પુરાણ મળ્યું.

આપણા શાસ્ત્રો ઇશ્વરનું સંપૂર્ણ અને નિસ્વાર્થ જ્ઞાન આપે છે.શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ રાખવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે.ભક્તિ જ્ઞાન આપે છે જે સત્કર્મ કરવા પ્રેરીત કરે છે.વિશ્વાસથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી નિષ્ઠા.નિષ્ઠાથી કર્મ.

મહર્ષિ વ્યાસજીએ ચાર વેદોની રચના કરી.એટલે વેદ વ્યાસ કહેવાય છે.ઋગ,સામ,યજુ અને અર્થવ વેદ.વેદોના સાર એટલે ઉપનિષદ.આ ચાર વેદોનો સાર એટલે શ્રીમદ્ ભાગવત ગીતા.ગીતાને ગીતોપનિષદ કહેવાય છે.

મહર્ષિ વેદવ્યાસજીનુ સાહિત્ય સર્જન શાશ્વત છે.

ઉપનિષદ ગાયનું પ્રતીક છે.ગીતાને ગાયના દૂધ સમાન કહેવાય છે.શ્રીકૃષ્ણ ગોપાલ છે.વેદોનુ રક્ષણ કરે છે.અર્જુન વાછરડા સમાન છે જે દુગ્ધ પાન કરે છે.આ જગત વાછરડા સમાન છે.જેમ દુધ સંપૂર્ણ આહાર છે, વૈશ્વિક આહાર છે તેમ શ્રીગીતાનો સંદેશ જગત માટે છે.

વેદના કર્મ,જ્ઞાન અને ભક્તિના રહસ્યોને ઐતિહાસિક પ્રસંગો દ્વારા સમજવા અને ભગવાનની લીલાઓને સરળતાથી લોકભોગ્ય બનાવવા પુરાણોની રચના કરવામાં આવી છે.અન્ય દર્શન શાસ્ત્રો જટિલ છે.સામાન્ય મનુષ્યને માટે સમજવા અઘરા છે.પુરાણોની બોધકથાઓ અને દ્રષ્ટાંતો સરળ છે.પુરાણોની રચનાઓ મહર્ષિ વ્યાસજીએ કરી.

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં પુરાણની રચના કરી હતી.સાધારણ મનુષ્યને સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય એમ વિચારીને મહર્ષિ વેદવ્યાસજીએ આ પુરાણને અઢાર ભાગમાં વિભાજીત કર્યું છે.૧૬ ઉપપુરાણની રચના કરી છે.આ ૧૮ પુરાણને વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણ ભાગમાં ૬_૬ પુરાણોનો સમાવેશ કર્યો છે.

દરેક પુરાણમાં સૃષ્ટિની પ્રક્રિયા આલેખાયેલી છે.દરેક પુરાણોના અભ્યાસ પછી જાણકારી મળે છે કે પ્રત્યેક પુરાણની રચના પાછળ એક ઉદેશ્ય રહેલો છે.

ભારતીય સંસ્કૃતિની ધરોહર શ્રીમદ્દ ભાગવત્ ગીતા અને શ્રીમદ્ ભાગવત્ પુરાણ છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણના આરંભમાં ભક્તિનું જ્ઞાન થાય છે તો શ્રીમદ્ ભાગવત્ ગીતાના અંતમાં ભક્તિનું મહત્વ સમજવા મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ ભક્તિ અને જ્ઞાનનો સેતુ છે.સર્વ વેદોનો નીચોડ ભાગવત છે.શ્રીમદ ભાગવત્ ગીતા મહાભારતનો એક ભાગ છે.મહાભારતની રચના વેદ વ્યાસજીએ કરી છે.

ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું વર્ણન મળે છે.મહાભારતના ભિષ્મ પર્વમાં શ્રીગીતાનું વર્ણન મળે છે.

મહર્ષિ વ્યાસજીએ ૧૭ પુરાણોની રચના કરી પણ માનસિક આનંદની અનુભૂતિ થતી નહોતી.નારદજીએ વ્યાસજીને કહ્યું,’તમે જ્ઞાનની ઘણી સાધના કરી છે, પરંતુ ભગવાનના ગુણગાન વગર સર્વ અધુરૂં છે.પ્રભુના ગુણગાન ગાવાથી પ્રભુ હ્રદયમાં પધારે છે.મન પ્રસન્ન થાય છે.’શ્રીવ્યાસજીએ સમાધિ ધારણ કરી.સમાધિમા થયેલી ભગવાનની લીલાઓની અનુભૂતિને શબ્દોમાં આલેખી છે જે શ્રીમદ્ ભાગવત્ તરીકે આપણને આજે પણ શ્રીકૃષ્ણ લીલાઓનો આનંદ આપે છે.શ્રીમદ્ ભાગવત્ વૈષ્ણવનો પરમ ધનરૂપ અને પુરાણતિલક રૂપ કહેવાય છે.ઋષિ વેદવ્યાસજીએ ભાગવત્ પુરાણની રચના કરી.પોતાના પુત્ર શ્રી શુકદેવજીને ભાગવત્ પુરાણ ભણાવ્યું.

શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવત્ પુરાણનું વર્ણન કર્યું.પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના કહેવા પ્રમાણે કળિયુગમાં મનુષ્ય યોગ કરી શકશે નહીં.શ્રીમદ ભાગવતની રચના કળિયુગના જીવોનો ઉધ્ધાર કરવા માટે કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ અને સંતો દૂરંદેશી હતા.

સૃષ્ટિના માનવજીવોના કલ્યાણ અર્થે ઋષિમુનિઓએ જ્ઞાનનો ઉપદેશ ગ્રંથો મારફતે આપ્યો છે જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ.આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડે છે.આપણી શંકાઓનું સમાધાન કરે છે.

હિન્દુ પરંપરા મુજબ શ્રીમદ્ ભાગવત્ પુરાણ આશરે ઈ.સ. પૂર્વ ૩૧૦૦મા લખવામાં આવ્યું છે.શ્રીગીતાનો સમય કાળ આશરે ઇ. સ. પૂર્વ ૩૦૬૬ છે.જો કે આ વિષયમાં સંશોધન થયાં જ કરે છે. એવું પણ માનવાવાળા છે કે આવા કોઇ ગ્રંથ છે જ નહીં.રામ કૃષ્ણ પણ નહોતા.આ બધું કાલ્પનિક છે.અને વ્યર્થ વિવાદ ચાલાવે રાખે છે.કેમ યુદ્ધના મેદાનમાં જ ગીતા સંભળાવી?.કેમ અર્જુનને જ ગીતા સંભળાવી? શ્રીકૃષ્ણ તો ભગવાન હતાં તો કારાગૃહમાં કેમ જન્મ થયો? આટલા નાના બાળકે આવી લીલાઓ કેવી રીતે કરી?.

પણ યુગોના યુગ વીતી ગયા આપણાં ગ્રંથોનું મહત્ત્વ રહ્યું છે.આજે managementના અભ્યાસમાં શ્રીગીતાનો સમાવેશ થાય છે.corporate ક્ષેત્ર માં શ્રીગીતાના પ્રવચન થાય છે.

શ્રીમદ્ ભાગવત્ ગીતા એટલે અર્જુનનાં મનમાં યુદ્ધ સમયે ચાલી રહેલી ઉથલ પાથલનુ સમાધાન.કૌરવો અને પાંડવોની સેના જોઇને અર્જુનને યુદ્ધના પરિણામોથી લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે.ધનુષ્ય એક બાજુ મૂકી રથમાં નિરાશ થઇ બેસી જાય છે.ત્યારે સારથી બનેલા શ્રીકૃષ્ણજી ઉપબોધન કરે છે.અર્જુનના મનમાં યુદ્ધ પ્રત્યે નિરાશા આવે છે ત્યારે યોદ્ધા હોવાનો આત્મ વિશ્વાસ શ્રીકૃષ્ણજી જાગરૂક કરે છે.ત્યારે અર્જુન દ્વારા પૂછેલા પ્રશ્નોનાનુ સમાધાન કરે છે.આ સંવાદોની રચના એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા.

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ.

શ્રીમદ્ ભાગવત્ ગીતા પ્રચલિત તત્વ જ્ઞાનનું એક સંકલન છે,યોગનો સમન્વય છે.આ પવિત્ર ગ્રંથ મોહ માયાથી પરે રહી આત્મા અને બુદ્ધિને અનુકુળ કરવાનું શીખવે છે.શ્રીગીતામા અર્જુન સમગ્ર માનવજાતનું પ્રનિધિત્વ કરે છે.

શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભક્તિ છે તો ગીતામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો માર્ગ મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ શ્રીશુકદેવજી અને રાજા પરિક્ષિત વચ્ચેનો વાર્તાલાપ છે.રાજા પરિક્ષિત અર્જુનનાં પૌત્ર હતાં.સાત દિવસ પછી સર્પ દંશનો શ્રાપ મળે છે ત્યારે શ્રી શુકદેવજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત પુરાણ સાંભળે છે.આ વાર્તાલાપ સાત દિવસ ચાલ્યો જે દરમિયાન રાજા પરિક્ષિતે અન્ન,જળ અને નિદ્રાનો ત્યાગ કરી ભાગવત કથાનું રસપાન કર્યું.માનવ જન્મ છે તો મૃત્યુ પણ નિશ્ચિત છે.મૃત્યુનો ભય શું કામ રાખવો?.ભાગવત પુરાણમાં જીવન, મનુષ્યનો જીવન પ્રત્યે અભિગમ,જન્મ મરણનું ચક્ર,ભક્ત અને ભગવાનનો સંબંધ જે નવધા ભક્તિના અલૌકિક વર્ણન દ્વારા સમજાવ્યું છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં ગાઇ શકાય એવી સુંદર સ્તુતિઓ છે.ગોપી ગીત,વેણુ ગીત,ભ્રમર ગીત અને રાસપંચાધ્યયી અદભૂત આનંદ આપ છે.અઢાર પુરાણમાં સૌથી વધુ લોકપ્રિય શ્રીમદ્ ભાગવત્ પુરાણ છે.

શ્રીકૃષ્ણને પરમેશ્વર અને ભગવાન તરીકે નિરૂપવામા આવ્યા છે.શ્રીકૃષ્ણનુ સ્વરૂપ, મોરપીંછ, વાંસળી,ગાયો ચરાવી,ગોપ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણનો સંગાથ આ દરેક કથાઓ રૂપે આનંદ આપે છે.રાસલીલાનુ ચિતંન ઇશ્વરમાં આધ્યાત્મિક રૂપે લીન થવાનું કહે છે.

કૃષ્ણ કથા સર્વ રસોનો આનંદ આપે છે.બાળલીલા હાસ્ય રસથી ભરપૂર છે.રાસલીલા શૃંગાર રસ દર્શાવે છે.કંસવધ અને અન્ય દુષ્ટોના વધનુ વર્ણન વીર રસ બતાવે છે.શ્રીમદ્ ભાગવત પુરાણમાં કૃષ્ણ લીલાનો મહિમા છે.સંસારનુ સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનુ સ્મરણ એજ મુક્તિ છે.મુક્તી મનને મળે છે.આત્માને નહીં.યોગીઓ જગતને ભૂલવા આંખ બંધ કરી ધ્યાન કરવા કહે છે પણ જગત ક્યાં ભૂલાય છે.કૃષ્ણ કથામાં આંખો ઉધાડી રાખી તન્મયતા થાય તો જગત ભૂલાય છે.એ જ સમાધિ અવસ્થા છે.

શ્રીકૃષ્ણજીના બાળક જેવા તોફાન માખણ મટુકી ફોડવી,ગોપ ગોપીઓ સાથે રમત રમવી, યશોદા મૈયાના દોરડે બંધાવું.રાસ નૃત્યનો આનંદ માણવો. વાંસળીના સુર રેલાવા. ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ધારણ કરી પર્યાવરણ પ્રેમ દર્શાવે છે.

શકટાસુર ક્રોધ અને લોભનું રૂપ છે તો તૃણાવત કામનું રૂપ છે.રજોગુણ મનને ચંચળ કરી મુકે છે.અધાસુર પાપનું સ્વરૂપ છે.ધેનકાસુર ને પુતના અવિધા રૂપે છે.વત્સાસુર અને બકાસુર અજ્ઞાન અને દંભનું પ્રતીક છે.આપણામાં રહેલાં આવા અસુરોનો નાશ કરવો જ પડે.કાલિયાનાગ વાસના રૂપી ઝેર છે જે આપણી ઇન્દ્રિયોમાં પ્રસરી જાય છે.તેને દૂર કરવા ભક્તિ કરવી.આ સંસારમાં દુઃખ રૂપી દાવાનળ આવે ત્યારે શ્રીકૃષ્ણની લીલાઓનુ શ્રીમદ્ ભાગવતમાંથી શ્રવણ કરવું.ઋષિ સાંદીપનિના શિષ્ય બની ગુરુ સેવા કરે છે.દ્રારકામા રાજ્ય સ્થાપવું.આ દરેક કાર્યોથી શ્રીકૃષ્ણ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં ૧૨ સ્કંધ છે,૩૩૫ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોક છે.ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની તીવ્ર ભક્તિનું ઉદાહરણ શ્રીમદ્ ભાગવત્ છે.

શ્રીમદ્ ભાગવત્ ગીતામાં ૧૮ અધ્યાય છે,૭૦૦ શ્લોક છે.મહાભારતમાથી પ્રાપ્ત છે પણ મહાભારતમાં અધ્યાયોના નામ નથી.શ્રી શંકરાચાર્યે નામ આપ્યા છે

જર્મનીના તત્વ ચિંતક વિ.હુમ્બોલ્ટ,” સંસારના બધા ગ્રંથમાંથી ક્યારેય પણ શ્રીગીતા જેટલા સુક્ષ્મ અને ઉન્નત વિચારો મળતા નથી.”

ભગવદ્ ગીતા એક intelligence agency જેવી માહિતી આપે છે કે જેમાં માનવીઓ ભીતરમાં ભંડારેલુ જ્ઞાન મેળવી શકે છે.સંસ્કૃત ભાષામાં લખાયેલી શ્રી ગીતા આજે દુનિયાની ૭૫ ભાષામાં વાંચવા મળે છે.વિશ્વના ચિંતકોએ શ્રીગીતામાથી માર્ગદર્શન લીધું છે.આપણા ન્યાયાલયોમાં શ્રીગીતા પર હાથ મૂકી સોગંદ લેવાય છે કે સત્યનું પાલન કરવું.જે વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું.

કેટલાય યુગ વીતી ગયા અને વીતી જશે, શ્રીગીતા યુગો યુગો સુધી જનમાનસનુ માર્ગદર્શન કરે છે.

આપણા ગ્રંથો જ્ઞાનનો ભંડાર છે.આધ્યાત્મિક સંપત્તિ છે.આપણા આચર્યો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય,નિમ્બકાચાર્ય અને વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત ગીતા અને શ્રીમદ્ ભાગવતનુ આગવા દ્રષ્ટિકોણથી અર્થઘટન કરી પોતાના મૌલિક સિદ્ધાંતો તારવ્યા છે.

શ્રીગીતાની જેમ જ શ્રીમદ્ ભાગવત્ પુરાણ જ્ઞાનનો ભંડાર છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણનો પ્રેરણાદાયક પ્રભાવ ભારતીય સમાજમાં એટલો છે કે અગણિત સાહિત્યોમાં જોવા મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણનો પ્રભાવ મધ્ય યુગીય વૈષ્ણવ સંપ્રદાયના ઉદય સમયે જોવા મળે છે.અષ્ટ છાપ કવિઓ અને અન્ય કવિઓની રચનાઓ, નરસિંહ મહેતા અને મીરાં બાઇ આ દરેક સંતો તથા કવિઓની રચનાઓમાં ભાગવતની પ્રેરણા જોવા મળે છે.

લોક સંગીત,લોક નાટ્ય, ચિત્ર કળા, હસ્ત કળામાં શ્રીમદ્ ભાગવતની બોધકથાઓ માણવા મળે છે.ભારતીય નૃત્યો કથ્થક,ઓડિસી,ભારત નાટ્યમ, મણીપૂરી શ્રીમદ્ ભાગવતમના પ્રસંગ દ્રારા પ્રસ્તુત થાય છે.ફક્ત ધાર્મિક ગ્રંથ નથી પણ વૈજ્ઞાનિક ગ્રંથ પણ છે.

બ્રહ્માંડ દર્શન, ખગોળ શાસ્ત્ર,વંશાવલી,ભુગોળ,યોગ અને શારિરીક વિજ્ઞાન દરેકનું વર્ણન મળે છે.શોધ અને સંશોધન વિશે માહિતી મળી આવે છે.ત્રીજા સ્કંધમા સમયની ગણતરી બતાવી છે જે ભૌતિક વિજ્ઞાનનો વિષય છે.માતાના ગર્ભમાં બાળકનો વિકાસ કેવી રીતે થાય છે.આ સઘળું જ્ઞાન આપતો ગ્રંથ છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ કહે છે ઇશ્વરને ખબર છે કે કોને ક્યારે,કેટલું અને શું જોઈએ છે તે પ્રમાણે ઇશ્વર આપૈ જ છે.શ્રીગીતામા શ્રીકૃષ્ણ કહે છે દરેક મનુષ્ય મારો જ અંશ છે.સર્વ છોડી મારા શરણે આવો.શ્રીગીતા મનન અને ચિંતન કરવાનો ગ્રંથ છે.સમસ્ત માનવ જીવનને સ્પર્શ કરે છે.આજનુ આપણું જીવન કુરૂક્ષેત્રના યુદ્ધ જેવું છે.શ્રીગીતામા શ્રીકૃષ્ણનું સ્વરૂપ એક કૂટનિતીક જોવા મળે છે.

બંને ગ્રંથમાં સામ્યતા અને ફરક શું છે?.

શ્રીમદ્ ભગવદ્ પુરાણમાં શ્રીગીતાનો ઉલ્લેખ મળે છે.ભાગવદ્ પુરાણના સ્કંધ ૩મા કપિલગીતા છે,માતા દેવહુતિને કપિલમુની ઉપદેશ આપે છે.સ્કંધ ૧૨મા ઉદ્વગીતા છે.સ્કંધ ૧૧મા ભિક્ષુ ગીતા છે.સ્કંધ ૪મા રૂદ્રગીતા છે.સ્કંધ ૧૧મા હંસગીતા અને જયંન્તેય ગીતા છે.

સર્વ ધર્માન્ પરિત્યજ મામેકં શરણં વ્રજ

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શુચ

તમામ શાસ્ત્રોનો સાર શરણાગતિ છે.શ્રીમદ ભાગવત્ ગીતા અનન્ય ભાવની મહિમા કરે છે તો શ્રીમદ્ ભગવદ્ પુરાણ ભગવાનની ભક્તિની.

શ્રીમદ્ ભાગવત્ ગીતા એટલે દેવી દેવતાઓનુ કે ધર્મનુ મહાત્મ્ય નહીં પણ જીવન જીવવાની કળા છે.શ્રીગીતા વૈશ્વિક ગ્રંથ છે.શ્રીગીતાના અનુવાદ અને ભાષાંતર વિશ્વની તમામ ભાષાઓમાં થયા છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં વિષ્ણુના અવતારનું વર્ણન મળે છે.શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે અને સ્વયં ભગવાન તરીકે નિરૂપવામા આવ્યા છે.દશમ સ્કંધ શ્રી કૃષ્ણ પ્રાકટ્યની કથા કરે છે.શ્રીકૃષ્ણલીલા અને ઉપદેશોનુ વર્ણન મળે છે.

વૈદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભાગવત્ પુરાણને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

બંને ગ્રંથની સામ્યતા શ્રી કૃષ્ણ જ છે.શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં શ્રીકૃષ્ણ તેજસ્વી રાજા છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ગૂઢ તત્વજ્ઞાની છે.

શ્રીગીતા જ્ઞાન ગાગરમાં સાગર સમાન છે તો શ્રીમદ્ ભગવદ્ પુરાણ ભક્તિનો સાગર છે.

શિવલિંગની આરાધના કરવાનું મહત્વ

હિન્દુ ધર્મમાં ભગવાનની અનુભૂતિ કરવાની વિવિધ રીતો છે.દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં આને મંદિરમાં સ્થાપિત કરી આરાધના કરાય છે.આવી જ એક પૂજા આરાધના શિવજીની છે.

શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનની સંજીવની પ્રદાન કરનારા છે.અનાદિકાળથી શિવજીના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા થાય છે.શિવનુ સ્વરૂપ વિરાટ અને અનંત છે.

શિવલિંગને સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે.

શિવલિંગની પૂજા પ્રાચીન કાળથી મંદિરોમાં અને ઘરોમાં થાય છે જે સર્વોચ્ચ ભગવાન શિવને આવાહન કરવાની રીત છે.

શિવલિંગની પૂજા આરાધના ભક્તને શિવ ચેતના સાથે જોડે છે.સંસ્કૃતમા શિવ એટલે શુભ, કલ્યાણકારી.

પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા બીલીપત્ર,ફળ,ફૂલ ચઢાવવાની પ્રથા છે.શ્રાવણ માસમાં મેઘ મન મૂકીને વરસે છે.ધરતી માતા લીલી લીલી હરિયાળથી નવપલ્લવિત થાય છે.ધરતી અને તેનું સૌંદર્ય પ્રકૃતિ છે.શિવ અને પાર્વતી પ્રકૃતિ અને પુરુષ છે.એટલે જ શિવજીને પ્રકૃતિના પત્ર પુષ્પ પ્રિય છે.પ્રકૃતિનુ દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવે છે જે કુદરત એક ચેતનવંતી અને જોશીલી ગાણિતિક રચનાઓ કરતાં પણ વધુ અદભૂત છે.આપણે કુદરતની રચનાઓ સમજવાની કોશિશ કરીએ ત્યારે જ તેની સુંદરતાની અનુભુતિ થાય છે.પ્રાણીઓ,ફૂલો, વૃક્ષો, લતાઓ, પહાડો,નદીઓ,વહેતા ધોધ, સમુદ્રો, તારામંડળ અને આકાશ, આપણા મનુષ્ય શરીરની રચના દરેક આકર્ષક રચનાઓ બનાવવામાં કુદરત સક્ષમ છે.આ બ્રહ્માંડનો architect કોણ છે? આ બ્રહ્માંડનું એક રહસ્ય છે.જીવંત પ્રકૃતિની દુનિયા આપણા પહેલાં સંપૂર્ણપણે પરિવર્તનશીલ અને વૈવિધ્યસભર પ્રકૃતિ અભિવ્યક્ત કરે છે.

ભારતના નકશા પર જોવાથી ૧૨ જ્યોતિર્લિંગ પ્રકૃતિના નિયમો પ્રમાણે છે.પુરાણો અનુસાર શિવજી જ્યાં જ્યાં પ્રગટ થયા તે બાર સ્થળોને જ્યોતિર્લિંગ રૂપે પૂજાય છે.

જ્યોતિર્લિંગની ભૌમિતિક રચના પાછળ કોઇ વિશિષ્ટ કારણ છે.આ જ્યોતિર્લિંગ એવા સ્થળો પર છે જ્યાં શિવજી પ્રકાશના સ્તંભ તરીકે પ્રગટ થયા છે.

જ્યોતિર્લિંગ એટલે જ્યોતિનું બિંદુ.ભારતમાં ઘણા શિવમંદિરો છે પણ ૧૨ જ્યોતિર્લિંગનું મહત્વ અધિક છે.આ મંદિરોની રચનાઓ પાછળ વૈજ્ઞાનિક કારણો અને ગુઢ રહસ્ય છે.દા.ત. કેદારનાથ અને રામેશ્વરનુ અંતર ૨૩૮૩કી.મી.છે પણ આ મંદિરો સમાન સમાંતર લાઇનમાં છે.આ મંદિરોની રચના પ્રકૃતિના પાંચ તત્વ પૃથ્વી,જળ, અગ્નિ, વાયુ અને આકાશના આધારે કરવામાં આવી છે.

શિવલિંગના ત્રણ ભાગ છે.નીચેનો ભાગ બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને ટોચ પર શિવજી.પહેલો ભાગ ચારેતરફ ભૂમિગત રહે છે,મધ્ય ભાગ આઠે બાજુ એક સમાન છે,શીર્ષ ભાગ છે અંડાકાર છે જેની પૂજા આરાધના થાય છે.

શિવલિંગનો આકાર અંડાકાર કેમ છે? આપણે પત્થર રૂપે દેવની પૂજા કેમ કરીએ છીએ? આનું મહત્વ શું છે?. પ્રચીન સમયમાં ઋષિમુનિઓ પારદમાથી એક આકાર આપતા જે ઉર્જાનું ઉત્પાદન કરે.પ્રાચીન ગ્રંથોમાં પારાને સ્વયં સિદ્ધ ધાતુ માનવામાં આવે છે.શિવપુરાણ પ્રમાણે પારદ શિવલિંગમાં બ્રહ્માંડની સંપૂર્ણતા છે.પારદ તરલ ધાતુ છે.ઔષધિઓ ભેળવીને તરલ પારદને ઠોસ કરવામાં આવે છે.અષ્ટ સંસ્કાર અર્પણ કરી શિવલિંગની રચના કરવામાં આવે છે..

આ રસલિંગમ પણ કહેવાય છે.આ લિંગ ઉર્જાનુ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.આપણુ શરીર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે.પારદ શિવલિંગની સ્પર્શ કરી આરાધના કરવાથી શિવજીની ઉર્જા પ્રાપ્ત થાય છે.આ બ્રહ્માંડ એક ઉર્જા નું શિવલિંગ જ છે.

શિવલિંગ ફરતે ગોળાકાર લિંગના માપનું થાળું હોય છે તે બ્રહ્માંડની ઉર્જાનુ પ્રતીક છે.

શિવલિંગ પૂર્ણ વાસ્તવિકતાની સ્થિર અને ગતીશીલ ઉર્જા બતાવે છે.

શિવલિંગની ઉપર જળધારીમા પાણી ભરી સતત અભિષેક કરાય છે.જળધારી કુંડલિની શક્તિ છે.મૂળાધાર ચક્ર પર કુંડલિની શક્તિ બિરાજમાન છે.શિવ અને શક્તિની ઉર્જાથી સમગ્ર વિશ્વનુ પ્રાગટ્ય થાય છે.શિવલિંગ પરનો સર્પ જાગૃત,અર્ધ જાગૃત અને અચેત અવસ્થા દર્શાવે છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે અણુઓ જે પરમાણુના બન્યા છે તે શિવલિંગની રચવામાં મહત્વ ધરાવે છે.proton અણુનો નાનો ભાગ, neutron અણુનો ન્યુન કણ,અને electron અતિ સૂક્ષ્મ પરમાણુ .

હર(ન્યુટ્રોન),હરિ(પ્રોટોન) આને બ્રહ્મા (ઇલેક્ટ્રોન).

મહર્ષિ વ્યાસના કહેવા પ્રમાણે શિવજી સૂક્ષ્મ છે સાથે સૃષ્ટિમાં વ્યાપક છે.આપણા શાસ્ત્રો પ્રમાણે શિવલિંગ એક અગ્નિ સ્તંભ છે.બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ લિંગમાં સમાયેલા છે.મહેશ ન્યુટ્રોન રૂપે છે પણ ઉર્જા નથી.બ્રહ્મા ઇલેક્ટ્રોન છે અને વિષ્ણુમા સકારાત્મક ઉર્જા છે જે પ્રોટોન છે.અણુનુ સર્જન કરનાર બ્રહ્મા છે એટલે બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે.શિવલિંગ બ્રહ્માંડની સંપૂર્ણતા રજૂ કરે છે.

શિવલિંગ પર જળાભિષેક કરવાનું કારણ છે કે શિવલિંગમાથી કિરણોત્સર્ગ ઉર્જા પ્રગટ થાય છે.જેથી કરીને મોટા ભાગના શિવ મંદિરોની આસપાસ જળાશયો હોય છે જે કિરણોત્સર્ગ ઉર્જાને કાબુમાં રાખી શકે છે.

ભારતના નક્શામાં જોવાથી ૧૨ જ્યોતિર્લિંગ એક જ તરંગોમાં જોવા મળે છે.દરેક જ્યોતિર્લિંગ પરમાણુ ઉર્જાનું કેન્દ્ર કહી શકાય.ભગવાન શિવ એક પરમાણુ ઉર્જા સમાન છે જે કલ્યાણકારી છે અને વિનાશ પણ કરે છે.૧૨ જ્યોતિર્લિંગ મળીને એક શંખનો આકાર બતાવે છે.

જ્યોતિર્લિંગ ભગવાન શિવના તેજસ્વી સંકેતો છે.જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે પ્રતીક.ભાભા અણુ મથકની ડિઝાઇન પણ શિવલિંગ જેવી છે.

પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા આરાધના કરવાનું મહત્વ છે.

સચેતન અવસ્થામાંથી શ્રદ્ધા સાથે ભાવપૂર્ણ અવસ્થામાં પ્રવેશ કરવો અને ચૈતન્ય પ્રકાશ પ્રાપ્ત કરવો એ આત્માની યાત્રા છે.આત્મા પરમાત્મા સાથે લીન થઇ જાય છે.

ભગવાન વિષ્ણુના વ્યૂહ સ્વરૂપ અને લક્ષ્મી તંત્ર.

લક્ષ્મી નારાયણ

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ભગવાન વિષ્ણુના ચતુરાત્મ,ચતુર્વ્યૂહ અને ચતુર્મુર્તિની સ્તુતિ કરે છે.

ચતુરાત્મા ચતુવ્યર્યૂહ:ચતુર્દષ્ટ્રશ્ર્વતુર્ભુજ:

ચતુરાત્મ ભગવાન વિષ્ણુની ચાર અભિવ્યક્તી સૃષ્ટિ, સ્થિતિ,લય અને ધર્મ

ભગવાન વિષ્ણુના ચાર વ્યૂહ સ્વરૂપ સૃષ્ટિના ૬ કારણોમાં ચાર કારણો સાથે સંબંધિત છે.

નારાયણ _વિચાર, વાસુદેવ_ભાવના, પ્રદ્યુમ્ન_જાણવુ

સંર્કષણ_ઇચ્છા અને અનિરુદ્ધ_ અભિનય.દરેક દિવ્યતા તેની વિશિષ્ટ રચનાત્મકતા ઉર્જાને નિયંત્રિત કરે છે.પંચરાત્ર ગ્રંથમા વર્ણન પ્રમાણે ચાર વ્યૂહ સ્વરૂપ બ્રહ્માંડના ચાર પરિબળો રજૂ કરે છે.

પ્રકૃતિના અસંખ્ય બ્રહ્માંડ અને પ્રકૃતિનુ સમગ્ર કાર્ય રહસ્યમય છે.સંસારના કોઇ પણ પ્રાણીની શક્તિ નથી કે આ રહસ્ય જાણી શકે.મનુષ્ય તો એમ જ સમજતો આવ્યો છે કે આ બધું આદિ કાળથી ચાલતું હતું અને ચાલ્યા કરે છે.પ્રકૃતિ અને પરમાત્માના લયથી સૃષ્ટિનું સર્જન થાય છે અને વિનાશ થાય છે ત્યારે પ્રલય પણ થાય છે.સૃષ્ટિ અને પ્રલય વચ્ચેની દશા ‘સ્થિતી’ છે.આમ જગતની ત્રણ અવસ્થા છે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય.સૃષ્ટિનુ સર્જન કરતી વખતે પરમાત્મા પ્રદ્યુમ્ન,પાલન કરતી વખતે અનિરુદ્ધ અને સંહાર કરતી વખતે સંર્કષણ કહેવાય છે.

પરમતત્વ પરમાત્મા ત્રિવ્યૂહમા સમ્મિલિત થાય છે ત્યારે વ્યૂહ વાસુદેવ રૂપે હોય છે.સંસ્કૃતમા વ્યૂહનો અર્થ છે ગોઠવણી કરવી.ચતુર્વ્યૂહ ચાર અવતાર જે ભગવાનની લીલા અભિવ્યક્ત કરે છે.આ ચાર વ્યૂહ સ્વરૂપ વાસુદેવ,સંર્કષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ.

આ પ્રસર્જનમા વાસુદેવ અપ્રભાવિત રહી પોતાના પ્રાકૃતિક સ્વરૂપે જ રહે છે.વાસુદેવ નારાયણ અવતારે ૬ ગુણોથી સંપન્ન છે.ત્રણ વ્યૂહ અવતારના સ્તોત્ર છે.આ ક્રમિક વિકાસ એટલે એક દીવાની જ્યોતમાથી બીજા દીવાને જ્યોત પ્રગટાવી.

વાસુદેવ.પરમેશ્વર ત્રિગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વ્યૂહ વાસુદેવ રૂપે હોય છે.પરા વાસુદેવ કહેવાય છે.૬ ગુણો છે.જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ,બળ, વીર્ય,તેજસ,ચાર કર કમળોમા શંખ, ચક્ર,ગંદા અને અભય મુદ્રા ધારણ કરે છે.ગરૂડ ધ્વજા ધારણ કરે છે. છે.વાસુદેવ મોક્ષનું દાન કરે છે.કેશવ, નારાયણ અને માધવ રૂપાંતર સ્વરૂપ છે.

વસુદેવના પુત્ર વાસુદેવ.શ્રીગીતાના વિભૂતી યોગ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે વૃષ્ણી વંશમાં હું વાસુદેવ છું.વાસુદેવ વિશ્વાત્મા છે.

પ્રદ્યુમ્ન.જ્યારે પરમાત્મા જ્ઞાન,બળ, શક્તિ અને તેજ પ્રગટ કરે છે ત્યારે પ્રદ્યુમ્ન કહેવાય છે. મન મસ્તકના અધિષ્ઠાતા છે.ચાર કર કમળોમા ધનુષ,બાણ,શંખ અને અભય મુદ્રા ધારણ કરે છે.મકર ધ્વજા ધારણ કરે છે.વંશ વૃદ્ધિ કારક છે.ત્રિવિક્રમ,વામન અને શ્રીધર રૂપાંતર સ્વરૂપ છે.’પ્ર’ એટલે વિશિષ્ટ.

અનિરુદ્ધ.જ્યારે પરમાત્મા શક્તિ અને તેજ પ્રગટ કરે છે ત્યારે અનિરુદ્ધ કહેવાય છે.ચાર કર કમળોમા ખડગ,ખેટ,શંખ અને અભય મુદ્રા ધારણ કરે છે.મૃગ ધ્વજા ધારણ કરે છે.અહંકારના અધિષ્ઠાતા છે.તેજના ગુણથી આત્મ તત્વ પ્રવર્તન કરે છે અને શક્તિના ગુણથી જગતનું ભરણ પોષણ કરે છે.અનિરુદ્ધ એટલે આજેય , પરાજિત કરી ન શકાય.

સંર્કષણ.પરમ તત્વ ભગવાનના જ્ઞાન અને બળના ગુણોથી સંર્કષણ પ્રગટ થાય છે.ચાર કર કમળોમા હળ, મૂસળ,ગદા અને અભય મુદ્રા ધારણ કરે છે.તાલ ધ્વજા ધારણ કરે છે.દુષ્ટોનો નાશ કરે છે.જ્ઞાનના ગુણથી શાસ્ત્રનુ પ્રવર્તન કરે છે અને બળના ગુણોથી જગતનો સંહાર કરે છે.વિષ્ણુ, ગોવિંદ, મધુસૂદન રૂપાંતર સ્વરૂપ છે.

‘સં’ એટલે પુરતું, સંપૂર્ણ.’કર્ષણ’ એટલે ખેંચવું, ઉખાડવુ.જેની પાસે સંહારની શક્તિ છે.જે પોતાના તરફ સ્થિર અને અસ્થિર વસ્તુને ખેંચી શકે છે.પ્રલય સમયે પણ શાંતચિત્તે રહે છે.’અચ્યુત’ એટલે કે હારતા કે નાશ પામતા નથી.દેવકીના ગર્ભમાંથી બલરામ રેવતીના ગર્ભમાં સ્થાપિત થયા.

પંચરાત્ર શાસ્ત્રમાં પ્રમાણે ભગવાન વિષ્ણુના ચાર ચતુર્વ્યૂહ સ્વરૂપ પૃથ્વી પર અવતર્યા હતા.પંચરાત્ર વૈષ્ણવ સંપ્રદાયનો આગમ ગ્રંથ છે જેની રચના ૩ જી સદીમાં થયી છે જેમાં નારાયણ આને વિષ્ણુના અવતારોનું વર્ણન મળે છે.પંચરાત્ર શાસ્ત્રમાં આત્મા સર્વોચ્ચ સાથે એક છે.પરંતુ તે એક વ્યક્તિગત પણ છે.મુક્તિની અવસ્થામાં પણ વ્યક્તિત્વને જાળવી રાખે છે અને સર્વોચ્ચ સાથેના આનંદની અનુભૂતિ કરે છે.પંચરાત્રમા યજ્ઞ કરતા પણ મૂર્તિ પૂજાનું મહત્વ છે.

મહાભારતમાં ચતુર્મુર્તિનુ વર્ણન મળે છે જેમાં વિષ્ણુના ચાર મસ્તક નૃસિંહ અને વારાહ મસ્તક, મનુષ્ય મસ્તક અને ઉગ્ર મસ્તક છે.પંચરાત્ર ગ્રંથમાં આ ચાર મસ્તક ચર્તુવ્યૂહ સ્વરૂપ વાસુદેવ, સંર્કષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને અભિવ્યક્ત કરે છે.૧લી સદીમાં વીરવાદપંથના વર્ણન પ્રમાણે વૃષણી નાયકો વાસુદેવ, સંર્કષણ, સાંમ્બ અને અનિરુદ્ધ માનવ ચરિત્ર હતા જે ૪ થી સદીમાં વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં અવતાર કહેવાય છે.ચતુર્મુર્તિ એટલે વિરાટ, સૂત્રાત્મક,અવ્યક્ત અને તુરીય અવસ્થાનું ઇશ્વરનુ રૂપ.

ચાર વ્યૂહ અવતાર ચેતના પ્રગટ કરે છે.વાસુદેવ_તુરીય, સંર્કષણ_સુષ્પતી, પ્રદ્યુમ્ન_સ્વપ્ન અને અનિરુદ્ધ _ જાગૃત અવસ્થા.દરેક વ્યુહ અવતાર ચાર યુગ સાથે જોડાયેલ છે.વાસુદેવ કૃતયુગ, સંર્કષણ ત્રેતાયુગ, પ્રદ્યુમ્ન દ્વાપરયુગ અને અનીરૂધ્ધ કળીયુગ.

પંચરાત્ર ગ્રંથમા લક્ષ્મી તંત્રનો ઉલ્લેખ છે.લક્ષ્મી તંત્ર પ્રમાણે વર્ષના બારે માસના દેવતા ભગવાન વિષ્ણુ છે.

બાર માસના દેવતાનો અલગ અલગ નામો સાથે ઉલ્લેખ કર્યો છે.

વૈષ્ણવ સંપ્રદાયનો માર્ગ શરણાગતિનો છે.

શરણાગતિ ભક્તિ કરવાથી થાય છે.ભક્તિ માર્ગમાં ભક્તો આરાધના કરી ભગવાન વિષ્ણુની શરણે રહે છે.દરેક માસના દેવતા ભગવાન વિષ્ણુની આરાધના કરવી.લક્ષ્મી તંત્રમાં આધ્યાત્મ, બ્રહ્માણ્ડ,દેવી મહાત્મ્ય અને મંત્ર વિદ્યાનો ઉલ્લેખ છે.

લક્ષ્મી તંત્રની રચના ૯ મી થી ૧૨મી સદીમાં થયી છે.આ ગ્રંથમાં લક્ષ્મી નારાયણની ઉપાસના,પૂજા અર્ચનાનુ વર્ણન મળે છે.આ ગ્રંથ ભગવાન વિષ્ણુના કાળ પુરુષ સ્વરૂપનુ પ્રતિનિધિત્વ કરે છે.દરેક માસ માનવ અને માનસ પર અસર કરે છે.ધર્મ,અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે મનુષ્યોના અને સિદ્ધ કરવા લક્ષ્મી તંત્રમાં વિષ્ણુ આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

વિષ્ણુ ભગવાનના ચાર વ્યૂહ સ્વરૂપ બીજા ત્રણ રૂપ અને શક્તિ સાથે પ્રકટ થયા અને વર્ષના બારે માસના દેવતા કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે શક્તિ આરાધના કરવાનું મહત્વ છે.

વાસુદેવ ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

કેશવ_ શ્રી,નારાયણ_ વાઘેશ્વરી,માધવ_કાન્તિ

માગશર,પોષ અને મહા માસના દેવતા છે.પૂર્વ દીશામાં વાસ છે.

પ્રદ્યુમ્ન.ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

ત્રિવિક્રમ_ ઇચ્છા,વામન_ પ્રીતિ, શ્રીધર_રતી

જેઠ,અષાઢ આને શ્રાવણ માસના દેવતા છે.પશ્ચિમ દીશામાં વાસ છે.

અનિરુદ્ધ.ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

શ્રી ઋષિકેશ_માયા, પદ્મનાભ_ધી,દામોદર_મહીમા

ભાદરવા,આસો અને કારતક માસના દેવતા છે.દક્ષિણ દીશામાં વાસ છે.

સંકર્ષણ ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

વિષ્ણુ_ શાંતી, મધુસૂદન_વિભૂતી, ગોવિંદ_ક્રીયા

ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસના દેવતા છે દક્ષિણ દીશામાં વાસ છે.

વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને નારાયણ પંચ નિયામક છે.

દેવતા પોતે જ પાંચ સ્વરૂપ ધારણ કરે છે.પરા, વ્યૂહ,વિભાવ, અંતર્યામી અને અર્ચ.અર્ચ એટલે મૂર્તિ.

ભગવાન વિષ્ણુ સર્વમા વ્યાપ્ત છે.અગમ્ય છે.સમસ્ત જગતના નિર્માતા છે પણ જગતથી પરે છે.ભગવાન વિષ્ણુ જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં શક્તિ પણ બિરાજે છે.શ્રી, પુષ્ટિ,ગીર,કાન્તા, તુષ્ટિ, કીર્તિ,ઇલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. આ બાર શક્તિઓ છે અને પાલિકા શક્તિ મહાલક્ષ્મી છે.ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના ૬ ગુણો વ્યૂહ અને પ્રસર્જનની ક્રિયા પ્રકટ કરે છે.

ભગવાન વિષ્ણુના સ્વરૂપ અને લીલાં એમની જ કૃપાથી જાણી શકાય છે.