-દત્ત શબ્દનો અર્થ “આપેલુ”, ભેટમા આપવુ, સમક્ષ થવુ કે ખુશી વ્યક્ત કરવા આપવુ.
હિંદુધર્મમા પરમેશ્વરના ચોવીસ અવતાર છે.જેમા એક શ્રી દત્તાત્રેય છે.
.નારદમુનીના કહેવાથી બ્રહ્મા,વિષ્ણુઅને મહેશના પત્નીએ અત્રિૠષિના પત્ની અનસૂયાના પતિવ્રતની પરિક્ષા કરવા ત્રિદેવોને અનસૂયાને ત્યાં ૠષિ સ્વરુપે મોકલ્યા.ત્રિદેવોએ શરત મૂકી કે નિર્વસ્ત્ર થઇને દાન આપો તો જ ગ્રહણ કરશું.અનસૂયા આવી વિચિત્ર માંગણીથી સમજી ગયા કે આ કોઇ સામાન્ય ૠષિમુનીઓ નથી.આથી તેણીએ નક્કી કર્યુ કે ૠષિઓને બાળક માનશે અને દાન આપશે.ત્રણેય દેવોને માતૃત્વ શક્તિથી બાળક બનાવી સ્તનપાન કરાવ્યું.અત્રિૠષિ ઘરે આવીને આ ત્રણેય દેવોના દર્શન કરે છે.દેવો પોતાના મૂળ સ્વરુપે આવે છે અને અનસૂયાના પતિવ્રતની મહિમા કરે છે અને વરદાન આપે છે કે ત્રિદેવો તેણીના બાળક રુપે જન્મ લેશે.
માગશર શુક્લ ચતુર્દશીના દત્તાત્રેયનો જન્મ થયો.અત્રિના પુત્ર રુપે થયો.
મુનિ દૂર્વાસા અને ચંદ્દદેવ અત્રિૠષિના પુત્ર છે.અત્રિપુત્ર છે એટલે અત્રૈય કહેવાય છે.
દત્તાત્રેયે પિતા અત્રિૠષિની આજ્ઞાથી ગૌતમી નદીના કિનારે ભગવાન શિવની આરાધના કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.દત્તાત્રેયમા ઇશ્વર અને ગુરુ બંને રુપ સમાહિત છે.તેમને ગુરુવંશના પ્રથમ ગુરુ,સાધક,યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે,
શૈવસંપ્રદાયના નાથ સંપ્રદાયમા દત્તાત્રેય આદી ગુરુ કહેવાય છે.વૈષ્ણવ સંપ્રદાયમા વિષ્ણુના અવતાર તરીકે પૂજાય છે
સામાન્ય રીતે દત્તાત્રેય ત્રણ મસ્તક સાથે જોવા મળે છે.બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનુ સાંકેતિક સ્વરુપ છે.સાથેકામધેનુ ગાય, ચાર શ્વાન અને સંમુખ અગ્નિકુંડ છે.ગાય શક્તિ સ્વરુપ છે,અગ્નિ યજ્ઞ આહુતિ સ્વીકારનારછે.શ્વાનની ગણના શુભ પ્રતિક તરીકે કરાય છે જે ચાર વેદોનુ પ્રતિનિધિત્વ કરે છે.
દત્તાત્રેય નાની વયે ઘર છોડીને પૂર્ણતાની શોધમાં નીકળી પડ્યા હતા.કર્ણાટક,મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં વિચરણ કરતા હતા.ઉત્તર કર્ણાટકના ગંગાપૂરમા મૂર્ત સ્વરુપ પામ્યા.ગુજરાતના ગીરનારનીપહાડી પર દત્તાત્રેયના પદચિહ્ન હોવાનું માનવામાં આવે છે.ભગવાન પરશુરામે દત્તાત્રેયને ગંધમાદન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા.કહેવાય છે કે પીઠાપુરમ આંધ્રપ્રદેશમા નિત્ય બપોરના ભોજન સમયે દત્તાત્રેય ભિક્ષા માંગી ભોજન કરે છે.તેમનો પહેલો અવતાર શ્રીપાદ શ્રીવલ્લભ તરીકે ત્યા જ થયો હતો.પૃથ્વી પર શાંતી સ્થાપિત કરવા શ્રીદત્તાત્રેય સર્વત્ર ભ્રમણ કર્યુ હતુ.
તંત્ર સાથે જોડાયેલા છે એટલે દત્તાત્રેય નાથ સંપ્રદાયના અગ્રજ છે.વેદ અને તંત્રમાર્ગને એક કર્યા હતા.દત્તાત્રેય ઉપર બે ગ્રંથ સાહિત્ય છે.અવતાર ચરિત્ર અને ગુરુ ચરિત્ર જે વેદ તુલ્ય છે.ગુરુ ચરિત્રમા દત્તઅવતાર શ્રીપાદ,શ્રીવલ્લભ અને શ્રીનૃસિંહ સરસ્વતીની લીલાઓનુ વર્ણન છે.શ્રી રંગ અવધૂત દત્તાત્રેયના પરમ ભક્ત હતા.તેમની રચના દત્તબાવની ઘરે ઘરે શ્રદ્ધાપૂર્વક ગવાય છે.
દત્તાત્રેયના શિષ્યોમા સહસ્ત્રાજુન,કાર્તવીર્ય,ભાર્ગવ,પરશુરામ,યદુ,અલર્ક,આયુ,પ્રહ્રાદ.પરશુરામને ત્રણેય સંપ્રદાયની સંગમ સ્થળ ત્રિપુરામાં શિક્ષા આપી.દત્તસંપ્રદાયમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને નરસિમ્હા સરસ્વતી દ્ત્ત અવતાર મનાય છે.અક્કલકોટ સ્વામી સમર્થ,શ્રી વસુદેવનંદ સરસ્વતી,શિરડી સાઇબાબા,કૃષ્ણસરસ્વતી, પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી દત્તઅવતારો મનાય છે.નાથ સંપ્રદાયની અવધૂત ગીતા એ દત્તાત્રેય દ્રારા ગવાયેલ ભવ્ય રજૂઆત છે.સ્વામી વિવેકાનંદની માનીતી ગીતા હતી.
ભગવાન દત્તાત્રયે ચોવીસ ગુરુ કર્યા.એનો અર્થ એવો નથી કે ચોવીસ ગુરુઓ પાસે કંઠી બંધાવી કે દીક્ષા લીધી. સૃષ્ટિમાથી ઉત્તમ ગુણ પારખી જીવનમાં આત્મસાત્ કર્યા.ગુણગ્રાહી શિષ્ય બની જગદગુરુ તરીકે સ્થાન પામ્યા.આપણને થાય કે બાળક નાસમજ હોય છે.અને વેશ્યાનો આપણે તિરસ્કાર કરીએ છીએ.અજગરથી આપણે ડરી જઇએ છે .પણ ભગવાન દત્તાત્રયે એમાંથી પણ ગુણ તારાવ્યા.સાધકોને ગુણગ્રાહી બનવાનો માર્ગ બતાવ્યો.
તેમના ચોવીસ ગુરુઓ પૃથ્વી ,પર્વત,વૃક્ષમાથી ક્ષમા,ધીરજઅને પરોપકાર.
વાયુ અનાસક્તિ,આકાશ નિર્લેપતા,જળ માધુર્ય,અગ્નિ તેજસ્વિતા,ચંદ્ર આત્મા નિર્વિકાર છે,સુર્ય સ્થિરતા,કબૂતર સંગત્યાગ,અજગર અનાયસે મળે એમાં સંતુષ્ટ,સમુદ્ર સમદ્રષટિ,પતંગિયું રુપાસક્તિનો ત્યાગ,ભમરો શાસ્ત્રવાંચન દ્રારા સારગ્રહણ,હાથી સ્ત્રીસંગનો ત્યાગ,મૃગ શબ્દાસક્તિનો ત્યાગ,માછલી રસાસક્તિનો ત્યાગ,મધુહા સંગ્રહ ન કરવો,પિંગલા વેશ્યા સ્વાવલંબન દ્વારા પોતાનો ઉદ્ધાર,ટિટોડી અપરિગ્રહ,બાળક માન અપમાનમાં સમાન દ્રષ્ટિ રાખવી,કુમારી એકાંતપ્રિય,બાણ તૈયાર કરનાર એકાગ્રતા,સર્પ પર્યટનશીલતા,કરોળીયો કર્તા ભર્તા સંહર્તા,ભમરી ઇશ્વરસાથે તદાકાર.
પચીસમો ગુરુ આપણો દેહ છે.દેહની પરિવર્તનશીલતા અને ક્ષણભંગુરતા જો સમજાઇ જાય તો વૈરાગ્ય અને વિવેક પ્રાપ્ત થાય છે.
કૃષ્ણાનદીના તટ પર મહારાષ્ટ્રમા ઔદુમ્બર વૃક્ષની છાયામા દત્તાત્રેય બાર વરસ તપસ્યા કરી હતી.આ સ્થળે તેમની ચરણપાદુકાના દર્શન થાય છે.ભગવાન દત્તાત્રેની તપોભૂમી છે જે નૃસિંહવાડી તરીકે યાત્રાનુ ધામ છે..અહીંયા તપસ્યા કરી દત્તાત્રેય ગણગાપૂર ગયા અને ત્યાંથી કર્દલીવનમા પોતાનો અવતાર સમાપ્ત કર્યો.
ભગવાન દત્તાત્રેય આજન્મ બ્રહ્મચારી, અવધૂત અને દિગંબર રહ્યા.