શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના મોટાભાઈ નિત્યાનંદજીનાગુરુભાઈ શ્રી માધવેન્દૃયતિજીએ પોતાના જીવનનો મોટો ભાગ વ્રજઅને ઓરીસ્સામા વિતાવ્યો હતો. ૧૪મી સદી મા ઉડીપી ના માધવસંપ્રદાયના ગોસ્વામી કહેવાતા. માધવસંપ્રદાય અને વલ્લભ સંપ્રદાય મા શ્રદ્ધા થી તેમને યાદ કરાય.છે.માધવસંપ્રદાયમા માધુર્યભાવની ધારણા અને પરિચય આપનાર શ્રી માધવેન્દ્રપૂરી હતા.તેમને શ્રીકૃષ્ણ સિવાય ની કોઈ બાબતમાં રસ નહતો.શ્રી્કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઇને નાચતા ગાતા અને ભગવાનનો વિયોગકરીને રડવા લાગતા.પ્રેમ લક્ષણા ભક્તિ કરતા. કયારેય કોઈનો સંગાથ ન કરતાં.એક વાર શ્રી ગિરિરાજીની પરિક્રમા કરવા વ્રજમાં આવ્યા.પરિક્રમા કરી સાંજના સમયે ગોવિંદકુંડ પાસે કીર્તન કરતા હતા. ઉપવાસ હતો એટલે કીર્તન કરતાં કરતા ધ્યાનમગ્ન થઇ ગયા. ત્યારે એક કોમળ સ્વર સંભળાયો.
“ઓ બાબા ઉઠો, તમારા માટે દૂધ લાવ્યો છું,દૂધ પી લો. શ્રીમાધવેન્દ્રપૂરીઆ બાળકને નિહાળી રહ્યા.બાળકની છબી તેમના મનમાં વસી ગઇ અને દૂધ આરોગીને તેમનું રોમ રોમ પુલકિત થઇ ગયું અને તૃપ્ત થઇ ગયા. આંખો બંધ કરી બાળકનુ સ્મરણકરવા લાગ્યા. તંદ્રામા સ્વપ્ન આવ્યું. એક કિશોર વયનો બાળક કહી રહ્યો હતો કે,”હું તમારી જ રાહજોઇ રહ્યો હતો. ગોર્વધન પર્વતની કંદરામાં મારા પૌત્રવ્રજનાભે મારી ગોર્વધનધારી ગોપાલની મૂર્તિની સ્થાપના કરી હતી પણ યવનના ભયથી મૂર્તિને એકગહન કુંજમા છુપાવીને પૂજારી જતા રહ્યા છે.ત્યારથી હું ત્યાં જછુ.ચાલો હું તમને એ સ્થાન બતાવુ” આવુ કહી આ કિશોર માધવેન્દ્રપુરીને એક કુંજ પાસે હાથ પકડીને લઈ ગયો. ” આ કુંજમાથી મને કાઢી મારી સ્થાપના કરો.” માધવેન્દ્રપુરીજી તંદ્રામાથીજાગ્યા ત્યારે તેમની આંખમા આંસુ આવી ગયા. પ્રભુએ મને દર્શન આપ્યા, દૂધ આપ્યું અને કષ્ટ સહનકર્યું. આસપાસમાથી સઘળા ગામવાસીઓને બોલાવી એ જગ્યા પરગયા.કુંજની ઝાડીઓ અને વેલલતાઓ ખસેડવામાં આવી. ત્યાં ગોપાલજીની મૂર્તિ મળી આવી. સૌ ગ્રામવાસી અને માધવેન્દ્રપૂરી ખૂશથઈ ગયા.એક શિલા પર મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને સો ઘડા જળથી સ્નાનકરાવ્યું.વસ્ત્ર ધારણકરાવ્યા. ચંદન,તુલસી અને ફૂલોની માળા ધરી.દૂધ, દહીં,ફળ અને મિષ્ટાન ધર્યો. માધવેન્દ્રપૂરી જાણતા હતાકે ગોપાલજી ભૂખ્યા છે. પોતે અને ગ્રામવાસીઓએ મળીને અનેક સામગ્રી ધરી અન્નકોટઉત્સવ ઉજવાયો.શ્રીગોપાળેસંપૂર્ણ સામગ્રી આરોગી.માધવેન્દ્રપૂરીવનમાંથી ગુંજાના દાણા વીણીલાવ્યા.તેની માળા બનાવી મોરપિચ્છ લાવી ચંદ્રીકાબનાવી તે શ્રી ગોપાલને ધરાવ્યા. આ સ્વરૂપ શ્રીનાથજીનુ સ્વરૂપ છે આજે નાથદ્રારામા બિરાજે છે માધવેન્દ્રપૂરી નિત્ય નિયમપૂર્વક સેવા કરતા હતા.ગ્રામજનો તેમને જતીબાબા કહેવા લાગ્યા.યતિએટલે સંન્યાસી.તેના પરથી ગામનુ નામ જતીપૂરા કહેવાય છે.
એક સમયે ઉષ્ણકાળમમાં શ્રીનાથજીએ યતિશ્રીને સ્વપ્નમાં આવીનેકહ્યું મને મલયચંદન અર્પણ કરો. જગન્નાથપૂરીથી મલયચંદન લઇ આવો.પોતાના બે ગૌડીયબ્રાહ્મણને સેવા સોંપી યતિશ્રી બંગાળ તરફ ગયા.શાંતીપૂરમા પોતાના શિષ્ય અદવૈત આચાર્યને ત્યાં ઉતરીતેમનેસઘળી વાત કરી. આચાર્ય યતિશ્રીની સેવાભાવનાઅને ભગવાન માટેનો પ્રેમ જોઈ ભાવુક થઇ ગયા.તેમણે પોતે આ કામ.કરવાની ઇચ્છા દર્શાવી.યતિશ્રી આચાર્યને ચંદન લાવવાનુ કાર્ય સોંપી દક્ષિણભારતમા રેમુના ગામ તરફ ગયા જયાં ગોપીનાથનું મંદિર છે.અત્યારે આ સ્થળ ઓરીસ્સામા છે. આ મંદિર ૧૨મીસદીમા સ્થાપિત થયું છે. ગોપીનાથજીના સ્વરૂપને ખીર ધરાવાનુ આજે પણ મહત્વ છે સ્વરૂપને ખીરચોરગોપીનાથ કહેવાય છે
.યતિજી ભગવાનના સ્વરૂપ સમક્ષ ભજન કીર્તન કરવા લાગ્યા.દર્શનકર્યાં પછી ત્યાંના બ્રાહ્મણને પૂછ્યું ભગવાનને કેવાપ્રકારના ભોગ ધરાવે છો. આ કોઇ સ્વાદ કરવાની ભાવના નહોતી. પણ સામગ્રીનો પ્રકાર જાણીને વ્રજમા ગોર્વધનગોપાળ નેે ધરવાની ઇચ્છા હતી.બ્રાહ્મણે ત્યાં તૈયાર કરવામાં આવતી સામગ્રીનુ વર્ણન કર્યું. સાંજે ભગવાનને માટીના ૧૨ ઘડામા ખીરનો ભોગ ધરાવે છે. જેને અમરીતકેલી કહૈવાય છે કારણકે આ ખીરઅમૃત સમાન છે.ત્યારેજ ખીર નો ભોગ ધરવામાં આવ્યો. યતિશ્રીને આમાંથી મને ચાખવા મળેતો હુંપણ વ્રજમાં મારા ગોપાલ માટે આવી જ ખીર તૈયાર કરૂં. પણ તરત જ તેમને થયું કે આવા વિચારો મારા થી ન કરાય જયારે મારી સમક્ષ ઠાકોરજી આરોગી રહ્યાં છે. આરતી દર્શન કરીને ત્યાંથી નિકળી એક શાંત સ્થળ પર બેસીને પોતાની ભૂલ પર પસ્તાવો કરવા લાગ્યા.અને હરે કૃષ્ણ હરે રામનુ રટણ કરવા લાગ્યા. આ બાજુ ગોપીનાથ મંદિરમા પૂજારી પ્રભુને શયન કરાવી પોતાનો નિત્યક્રમ પતાવી સૂઈ ગયા. રાત્રે શ્રી ગોપીનાથ તેમના સ્વપ્નમા આવ્યા અનેકહ્યુ”મંદિરના દ્વાર ઉઘાડી અને જુઓ મે મારા વસ્ત્રના છેડામાં ખીરની માટલી છુપાવી રાખી છે જે સંન્યાસી માધવેન્દ્રપૂરી માટે છે.બહાર એકાંત જગ્યામાં બેઠા છે. જઇને આપી આવો. પૂજારી સન્નાન કરી મંદિરમા ગયા અને ખીરની માટલી જોઈ આશ્ચર્ય પામ્યા.માટલી લઇ મંદિરના દ્વાર બંધ કરી યતિશ્રીને શોધવા નીકળ્યા. માધવેન્દ્રપૂરીને મળીને ખીરની માટલી આપતા કહ્યુ ,”,ભગવાનગોપીનાથે તમારા માટે છુપાવી રાખી હતી.” પોતે જોયેલ સ્વપ્નની વાત કરી.યતિશ્રીએ ખીરનો પ્રસાદ આરોગ્યો અને માટલી ધોઈ પોતાની પોટલીમા બાંધી લીધી.
ત્યારબાદ રેમુનામાબિરાજમાન ગોપીનાથ ખીરચોરા ગોપીનાથ કહેવાય છે. ભક્ત ભગવાનને ઓળખ આપે છે.રેમુનામા યતિશ્રીને લોકચાહના મળવા લાગી. યતિશ્રીએ ત્યાંલોકોને વૃંદાવનમા ગોપાળપ્રાગટ્યની વાત કરી.ત્યાં પણ લોકો ભગવાન માટે ચંદન એકઠું કરી આપવાલાગ્યા. યતિશ્રી અદવૈત આચાર્ય પાસેથી ચંદન લઇ વૃંદાવન તરફ આગળ વધ્યા.માર્ગમાં રેમુના આવતા ગોપીનાથના મંદિરમા દર્શન કરવા ગયા. અને ત્યાં રાત્રી મુકામ કર્યો. રાત્રે શ્રીગોર્વધનગોપાળે સ્વપ્નમા આજ્ઞા કરી,” આ મલયચંદન અને કપૂર શ્રી ગોપીનાથજીને અર્પણ કરો. મને ચંદન મળી ગયું છે.આ ચંદન ગોપીનાથને લગાવો જે મને મળી જશે.હું અને ગોપીનાથ એકરૂપ જ છે.”. યતિશ્રી સવારે મંદિરના પૂજારીને.ચંદન અને કપૂર આપ્યા.અને ઉષ્ણકાળમારોજ લગાવાનું કહ્યુ. આજે પણ એ રીતે ચંદન કપૂરઅર્પણ કરાય છે.
શ્રી માધવેન્દ્રપૂરીનો કૃષ્ણપ્રેમ અસામાન્ય હતો. તેમનાશિષ્યો સદા હરિકિર્તનમાં મગ્ન રહેતા.અંતિમ સમયમા રેમુનામા સમાધિ કરી. આજે પણ તેમની સમાધિ પર ચંદન ધરાય છે.તેમના ઇષ્ટદેવ આજે નાથદ્ગારામા બિરાજમાન છે વલ્લભસંપ્રદાયનાપુષ્ટીમાર્ગીયભકતો ના શ્રીનાથજી છે.