શ્રીમદ્ આદિ શંકરાચાર્ય શ્રીકૃષ્ણને મેઘસુદંરમ કહ્યા છે.
સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતાં મેઘનુ પાણી એનું પોતાનું ના હોય પણ મીઠાશ એની પોતાની છે.એમ શ્રી ગીતાનું માધુર્ય શ્રી કૃષ્ણનું પોતાનું છે.

શ્રીગીતાજીની મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઇ કરી શકે નહીં.શ્રીગીતાજીનો આશય સમજતા આખુંય જીવન ટુંકુ પડે.રોજ રોજ અધ્યયન કરવા છતાં પણ નવીન લાગે છે.
૭૦૦શ્લોકોનો શ્રીગીતાનો ઉપદેશ મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભિન્ન ભિન્ન દાર્શનિક મતનો સમન્વય અને જ્ઞાન માર્ગ, કર્મમાર્ગ અને ભક્તિ માર્ગને સર્વશ્રેષ્ઠ રીતે રજૂ કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણનો શ્વાસ, હ્રદય અને વાણી શ્રીમદ્ ભાગવત્ ગીતા છે..

શ્રીગીતાનું પ્રાગટ્ય અર્જુનનાં અવસાદથી થયું.શ્રીગીતાનો પ્રથમ વિષાદ યોગ દૈન્ય અવસ્થાનું વર્ણન કરે છે.શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત વિશ્વને મહાન ઉપદેશ આપ્યો છે.બરોબર મહાભારતના યુદ્ધ સમયે જ અર્જુને પોતાના શસ્ત્રો મૂકી દીધા.હતા.સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈ શકીએ.કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે.રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ.એના કરતાં કૌરવો રણમાં મારે એવું મરણ સારૂ.ભિક્ષાથી મેળવેલું સારૂ પણ વડીલોને મારીને ભોગો ભોગવવા? વળી અમે જીતીશું કે તેઓ અમને જીતશે?
અર્જુન માટે આ પ્રથમ યુદ્ધ નહોતું. બાણવીર અર્જુન પહેલાં ઘણા યુદ્ધો લડીને જીતી ગયો હતો.છતાંય આ ધર્મ યુદ્ધમાં સ્વજનોને સામે જોતા એને ખેદ થયો.
હે કૃષ્ણ! યુદ્ધ કરવા ઇચ્છાત આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે,મુખ સુકાય છે,શરીરમાં કંપન થાય છે.
ગભરાટ,મુખ સુકાવુ, ધબકારા થવા,ગાત્રો ઢીલા પડી જવા, શરીરમાં કંપન થવું, ભ્રમિત થવું આ અવસાદના લક્ષણો છે.જે અતિક્રિયાત્મક અવસાદ કહેવાય છે.આવી પરિસ્થિતિ ક્યારે ઉભી થાય છે? માનસિક દબાણ,કાર્ય છુટી જવાનો ડર, સ્વજનોને ગુમાવી દેવાનો ભય, ચિંતા,રઘવાટ, સ્પર્ધાત્મક અભિગમ,સમાજનો ડર,પરીક્ષાઓ અને પરિણામોની ચિંતા.આવા કેટલાય નકારાત્મક પરિબળો માનવીને હતાશાના એક દુષ્ચક્રમા ધકેલી દે છે.ક્રોધથી શરૂ કરીને ખેદ સુધી. આખરે આપણને મહેસૂસ થાય છે કે આ જીવન,living mode થી surviving mode પર ચાલી રહ્યું છે.
અર્જુન બીજો કોઇ નહીં પણ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે.સંઘર્ષો,શોષણો અને મનોવ્યથથાથી આપણે જેમ હતાશ થઇને બેસી જઈએ છીએ.
અર્જુને ભીષ્મ પિતામહ અને દ્રોણને જોઇને શસ્ત્રો મૂકી દીધા.યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે એને શું ખબર નહોતી કે સામે પક્ષે પિતામહ અને દ્રોણ છે.તો પછી વિષાદ શા કારણે.કુ રૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતાન,પુત્રાન,સખીન હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતા.દરેક યોદ્ધાને માથે મોતની તલવાર લટકતી હોય છે.આ યુદ્ધમાં કોણ જીતશે,કોણ અને કેટલા મૃત્યુ પામશે કે જીવતા રહેશે.છતાં અર્જુન યુદ્ધ કરતો રહ્યો ભીષ્મ અને દ્રોણનો વધ કરવાન
કોઇ પણ યુગ હોય,ઉન્નતિ અને વિકાસનો સમયગાળો હોય,દરેકને બાજુ પર રાખીને જોઇએ તો મનુષ્ય દરેક સમયે એક જેવી લાગણીઓ ભય,ક્રોધ,લોભ,મોહ,ઇર્ષ્યા,અનુભવે છે.આપણી લાગણીઓ આપણી દીશા નક્કી કરે છે અને દીશા આપણો હેતુ.આપણા વિચારો સતત ગતી કરે છે.
સંસાર પ્રત્યક્ષ છે સાથે જ એક બીજો સંસાર આપણી ભીતર છે.સુખ અને આનંદ બહાર છે અને ભીતર પણ છે.આ બધું મનના કારણે છે.મનને કોણ પ્રેરિત કરે છે?આપણે શેનાથી પ્રેરિત થઇને ખોટું કર્મ કરીએ છીએ? મન મનમાની કેમ કરે છે?
મન સ્થિતી,મન,માનસ નિયંત્રિત કરવા સહેલા નથી પણ પ્રબંધિત કરી શકાય છે.અભ્યાસ અને સકારાત્મક લાગણીઓ મનને પ્રબંધિત કરી શકે છે.
મનના વિષયોમાં ઋગવેદથી કરીને પતંજલિમા અને વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કર્યું છે.
કહેવાય છે કે જેટલાં યુદ્ધ પૃથ્વી, સમુદ્ર કે આકાશમાર્ગે નથી લડાતા એનાથી પણ વધુ માનવીના મનમાં લડાય છે.માનવી આવા યુદ્ધથી મુક્ત રહેવા જાતજાતના સાધનો શોધતો ફરે છે.પણ આખરે હતાશા મળે છે.
આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.ચાર તો મસ્તકમા જ છે.જોનારી દ્રષ્ટિ,સાંભળનારા કાન,ગંધ સુગંધ માટે નાક,રસ સ્વાદ માટે જીભ અને સ્પર્શ માટે ત્વચા.
શબ્દ,રૂપ,રસ,ગંધ અને સ્પર્શ સુખ દુ:ખનુ જ્ઞાન કરાવે છે.પણ જ્ઞાન સાથે ભાવનુ પણ મહત્વ છે.
ભાવ એટલે આપણો સ્વભાવ.સ્વ એટલે ‘હું’ શ્રીકૃષ્ણજીએ શ્રીગીતામા ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે. પોતાની ભીતર બેસી અંતકરણની ગતી વિધી જોવી એ જ અધ્યાત્મ છે.
દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે.જ્ઞાન,કર્મ અને ભક્તિ એક જ ચિત્તની બુદ્ધિ,ઇચ્છા અને ભાવ છે.
ભાવને જાણવા તટસ્થતા જરૂરી છે. પણ તટસ્થતા મનની પ્રકૃતિ નથી.તટસ્થતા કેળવવી પડે છે.સતત અભ્યાસ દ્વારા. એમ મન કાઇ જલદી તટસ્થ થતું નથી.બુદ્ધિના ખેલ સામે મન હારી જાય છે.બુદ્ધિગત સંસ્કાર ભાવને પકડે છે પણ સ્વભાવ બુદ્ધિની પકડમાં આવતો નથી.એટલે જ શ્રીકૃષ્ણજીએ ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે.અંતરયાત્રા એક જ વિકલ્પ છે.
૧) સ્વને જાણવુ.માતા પિતા આપણા શરીરને જન્મ આપે છે.સમાજમાં ઓળખ માટે નામ આપે છે.
પણ આત્માને આપણે જ ઓળખી શકીએ છે.આ આત્મા કદી જન્મતો નથી,મરતો નથી,નિત્ય અને શાશ્વત છે.મનુષ્ય શરીર બાલ્ય અવસ્થાથી યુવાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા ધારણ કરે છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે.જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, આત્મા જૂના શરીર ત્યજી બીજા નવા શરીરો પામે છે.આ આત્માને શસ્ત્રો છેદતા નથી,પાણીથી પલળતો નથી કે પવનથી સૂકવાતો નથી.અગ્નિ બાળતો નથી.નિત્ય,વ્યાપ્ત અને અચળ છે.
સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે.શરીરધારીના આ શરીર નાશવંત છે પણ આત્મા અમર છે
આત્મવિશ્વાસ શું છે?. આત્મવિશ્વાસ એટલે શંકાઓ ન હોવી.મનુષ્ય સામાજ વચ્ચે રહે છે.કર્મ કરવાનો અધિકાર છે.કર્મના ફળની ઇચ્છા રાખ્યા વગર જો કર્મ કરે તો પોતાના પ્રયત્નોનું મહત્વ સમજાય.સફળતા અને નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ કર્મ કરવું.
સતત અભ્યાસ અને મોહ રહીત રહીને મન પર સંયમ કેળવી શકાય છે.
૨)મનને વશ કરવું પણ મનના વશ ન થવું.મન સારો નોકર બને છે પણ સારો માલિક નહીં. મનના માલિક થવા મનની શક્તિથી પોતાને ઉન્નત કરવું જરૂરી છે. મન મિત્ર બને છે તો શત્રુ પણ.
૩) ક્રોધ,લોભ,કામનાઓ શત્રુ છે.આ સ્થુળ શરીરમાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે પણ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. અત્યંત ડગાવનારી ઇન્દ્રિયો, પ્રયત્ન કરતાં વિદ્વાન પુરૂષોના મનને પણ ડગાવે છે.વિષયોમાં ખેંચે છે. વિષયોના ચિંતન કરતાં મોહ થાય છે,મોહથી કામના અને કામનાથી ક્રોધ.ક્રોધથી વિવેક નાશ પામે છે.ભટકતી ઇન્દ્રિયોને મન અનુસરે છે.મનના બંધનમાં જકડાઈ જાય છે.
આપણી લાગણીઓ અને ઇચ્છાઓ સાથે જવાબદારીઓ હોય છે.એક વાર સમજી લેવાય કે પ્રાથમિકતા ક્યાં આપવી તો સ્વકર્મનુ મહત્વ આપમેળે સમજાય જાય છે.પછી કોઇપણ બાહ્ય આર્કષણથી આત્મવિશ્વાસને ક્ષતિ નથી પહોંચતી.
૪) ભગવાનને સર્મપિત રહેવું. સર્મપણની ભાવના.અભ્યાસ યોગ વડે ઇશ્વરને પામવાની ઇચ્છા.ભગવાનની યોજનાઓમાં હસ્તક્ષેપ ન કરવો અને શરીર અને આત્મા ભગવાનમાં જોડી દેવા.કર્મના ફળનો મોહ ત્યાગ.કમળના પાન પર પાણીના બિંદુ ની જેમ રહેવું.કમળના પાન પરના પાણીના બિંદુ અનાસક્ત છે.શરણાગતિ અહંકારના પરમાણુને નષ્ટ કરે છે.પોતાની ક્ષમતા અનુસાર કર્મો કરી કર્તવ્યનું પાલન કર્યા પછી પરમ સત્યને સર્મપણ થવું.
૫) દિવ્યતાના જ્ઞાનનુ મહત્વ. શ્રધ્ધાવાન,તત્પર અને જીતેદ્રિય એટલે કે અભ્યાસથી મન જીત્યું છે,તે પરમ જ્ઞાન પામે છે.એક નાનો પ્રયાસ પણ ભય મુક્ત બનાવે છે.
વૈજ્ઞાનિકોએ મન અને બુદ્ધિનુ સ્થાન એક જ કહ્યું છે.બુ્ધિ જાગૃત અવસ્થા છે અને મન અર્ધજાગૃત.મન દુર્ગુણોનો શિકાર થાય છે.નબળુ પડે છે.શ્રીગીતા બુદ્ધિ કરતાં મનને વશમાં રાખવાની સલાહ આપતો ગ્રંથ છે.
ગીતા યોગીઓ અને તપસ્વીઓ માટેનો જ ગ્રંથ નથી.સાંસારિક જીવન માટે પણ ઉપયોગી છે.શ્રીગીતાના દરેક અધ્યાયમાં શ્રીકૃષ્ણે મનુષ્યને ઉપદેશ આપ્યો છે.
અર્જુન બીજું કોઇ નથી સમગ્ર માનવજાતિનુ પ્રતિનિધિત્વ કરે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં ભીષ્મ અને દ્રોણને જોઇને અર્જુને શસ્ત્રો મૂકી દીધા.એને ખબર હતી કે સામે પક્ષે પિતામહ અને આચાર્ય છે.તો પછી વિષાદનુ કારણ શુ?કુરૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતા,પુત્રો,પૌત્રૌ,સગાઓ અને સખાઓ હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતાં. દરેક યોદ્ધાને માથે લટકતી તલવાર હોય છે.કેટલા જીવશે કેટલા મૃત્યુ પામશે અને ઘાયલ થશે.પણ અર્જુન યુદ્ધ કરતો રહ્યો. પિતામહ અને આચાર્યનો વધ કરવાનું ટાળીને.પોતાના પુત્રનો વધ જોઇને પણ.શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ સમયે જ શ્રીગીતાનો ઉપદેશ આપી જગતને ઘણું ઘણું શીખવ્યુ છે.
ગીતા ધર્મમય છે,જ્ઞાનમાત્રની પ્રયોજિકા છે,અને સર્વં શાસ્ત્રમય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતાએ જગતમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.૭૫ભાષાઓમા શ્રીગીતાના અનુવાદ થયા છે.અંગ્રેજીમાં જ ૩૦૦ અનુવાદ થયા છે.in 1785 Charles Wilkins પહેલું અનુવાદ અંગ્રેજીમાં કર્યું.ત્યાર પછી જગતની દરેક ભાષાઓમાં શ્રી ગીતાના અનુવાદ થયા છે.
In 1785 Charles Wilkins પહેલું અંગ્રેજીમાં અનુવાદ કર્યુ
મહાભારતમાં આને પુરાણમાં અન્ય ગીતા મળી આવે છે.