ઋગ્વેદનો આ મંત્ર નવરાત્રીની સાધના અને પ્રાર્થના છે.જે દેવી સર્વ પ્રાણિયોમા શક્તિ રૂપે સ્થિત છે,નમસ્કાર,નમસ્કાર,વારંવાર નમસ્કાર.
નવરાત્રી એટલે નવ રાત્ર.શક્તિ સાધના કરવાના નવ દિવસ. નવરાત્રી વરસમા ચાર વખત હોય છે.પણ ચૈત્ર અને આસો માસની નવરાત્રીનુ મહત્વ વધુ છે કારણ કે ગૃહસ્થો આરાધના કરી શકે છે.
આસો માસની નવરાત્રી જન પ્રજાને એક જ સ્થાન પર એકત્ર કરી શક્તિ આરાધનાનો ઉત્સાહ સમગ્ર ભારતમા જોવા મળે છે.આપણા ગુજરાતના ગરબા અને બંગાળની દુર્ગા પૂજા ઉત્તમ ઉદાહરણ છે.આસો માસની નવરાત્રીમા નવ દિવસ શક્તિની આરાધના કરી દસમે દિવસે દશેરાનો ઉત્સવ ઘામધૂમથી ઉજવાય છે.
નવરાત્રીના નવ દિવસ અને રાત મહાકાલી,મહાલક્ષ્મી અને માતા સરસ્વતીના નવ રૂપોની પૂજા કરવામા આવે છે.આ ત્રણ દેવી નવ દુર્ગા છે.
પણ દેવી કોણ છે? સ્ત્રી તરીકે ઉપાસાતી શક્તિ.
શક્તિ. ‘શ’નો અર્થ ઐશ્વર્ય અને ‘ક્તિનો અર્થ શૌર્ય
શક્તિ આદ્યિભૌતિક,આદ્યિ દૈવિક અને આધ્યાત્મિક છે.આદ્યિ ભૌતિક શક્તિ જડ છે, આદ્યિ દૈવિક અહંકાર રૂપ છે એટલે જડા જડ છે,આધ્યાત્મિક શક્તિ ચિન્મયી,આનંદથી છલકાતી દેવતામયી અદિતિ છે.દેવવર્ગમા માયામયી છે અને પ્રાણીઓમાં પ્રકૃતિમયી છે.બહ્મત્વમા રહેલી સ્વાભાવિક શક્તિ નિર્મળ છે.સર્વ પ્રાણીઓમા રહેલી છે.
બ્રહ્માંડમા રહેલી ચેતના વિશ્વનુ સંચાલન કરે છે.આ સંચાલન ત્રણ શક્તિઓ દ્વારા અભિવ્યક્ત થાય છે.કોઈ એક શક્તિ પ્રભાવી રહે જ છે.
ભૂમિમાથી અન્ન ઉપજાવાથી કરીને વૈજ્ઞાનિક અન્વેષણો સુધીની સફળતા શક્તિ પર નિર્ભર છે.શક્તિનો અભાવ નિર્બળતા છે.
જેમ શક્તિ સમૃદ્ધિ છે તેમ જ્ઞાન પણ શક્તિનુ મૂળ સ્તોત્ર છે.જ્ઞાનના અભાવથી શક્તિ અશક્ત થાય છે.જ્ઞાન શક્તિનો સારથી નથી પણ સ્વંય શક્તિ છે.
શ્વેતાતર ઉપનિષદ પ્રમાણે પોતાના ગુણોથી ઢંકાયેલી દેવની આત્મભૂતા શક્તિ આ સમગ્ર સૃષ્ટિનુ કારણ છે.આ શક્તિના ત્રણ રૂપ છે.
જ્ઞાન શક્તિ,ઇચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ.
લલિતા સહસ્ત્રનામમા વર્ણન છે.
ઇચ્છાશક્તિ જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ સ્વરૂપણી સર્વાધારા સુપ્રતિષ્ઠા સદસદ્રૂપ ધારિણી.
નવરાત્રીના નવ દિવસમા પ્રથમ ત્રણ દિવસ મહાકાલી મહાદુર્ગા સ્વરૂપે આરાધના થાય છે,પછીના ત્રણ દિવસ મહાલક્ષ્મી રૂપે અને છેલ્લા ત્રણ દિવસ મહાસરસ્વતી સ્વરૂપે શક્તિ આરાધના કરવામા આવે છે.
ભાવનોપનિષદમા ક્રિયા શક્તિને પીઠ,જ્ઞાન શક્તિને કુંડલી અને ઇચ્છા શક્તિને મહાત્રિપુરાસુંદરી કહ્યું છે.
શક્તિ દરેકમા વિદ્યમાન છે.શક્તિનો સાચો ઉપયોગ દૈવી ગુણ આપે છે અને દુરઉપયોગ આસુરી ગુણ પેદા કરે છે.આપણામા ઇચ્છા,જ્ઞાન અને ક્રિયા શક્તિ હોય જ છે.
આપણે જ્યા સુધી આપણામા રહેલી શક્તિને સ્વીકાર કરતા નથી, ત્યાંસુધી શક્તિનુ કોઈ મૂલ્ય નથી.કર્મપ્રધાન જીવનમા શક્તિને ઓળખવાનો પ્રયાસ જરૂરી છે.
આપણા જીવનનો આધાર સર્વાધારાથી છે,અને આ ત્રણ શક્તિ આપણા જીવનમા સુપ્રતિષ્ઠાનુ મૂળ છે.
ઇચ્છા શક્તિ સંકલ્પ સાકાર કરવાનુ માધ્યમ છે.મનુષ્યમા રહેલી ઇચ્છા શક્તિ અને બૌદ્ધિક સંતુલન આ બંન્ને અમોઘ શક્તિ છે જે વિકટ પરિસ્થિતિમાંથી પાર કરાવે છે.
ઇચ્છા શક્તિ માનવીય પ્રેરણા છે.ક્રિયા શક્તિ કાર્ય કરવાની અને સર્જન કરવાની ક્ષમતા છે.જ્ઞાન શક્તિ આત્મ જ્ઞાન છે.ઇચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ મળીને જ્ઞાન શક્તિ ઉત્પન્ન કરે છે.શિવજીનુ ત્રિશુળ આ ત્રણ શક્તિનુ પ્રતિક છે.શ્રીકૃષ્ણ જ્ઞાન શક્તિ છે તો શ્રીરાધાજી ઇચ્છા શક્તિ છે.ઇડા નાડી ઇચ્છા શક્તિ,પિંગલા નાડી ક્રિયા શક્તિ છે.આ બંને નાડીનુ સંતુલન થાય ત્યારે સુષમા નાડી જ્ઞાન શક્તિ તરીકે ઉર્જાનો પ્રવાહ કરે છે.
મા દુર્ગા,મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આપણા હ્રદયમા નિવાસ કરે છે.મનુષ્યની ઇચ્છા શક્તિ,ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિનુ પ્રતિનિધિત્વ આ ત્રણ શક્તિ કરે છે.કાર્યનો ઉદ્દેશ્ય કરવાની શક્તિ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ વિવેક આપે છે.મહા સરસ્વતી મનુષ્યને વાણી શક્તિ આપે છે.કહેવાય છે કે જીભ પર સરસ્વતી વાસ કરે તો મનુષ્યની વાકછટા સમાજને પ્રભાવી કરે છે.મહાદુર્ગા ગતિશીલ સ્વરૂપ છે.મહાલક્ષ્મી એ જ ગતિશીલતાને ઇચ્છા શક્તિ સ્વરૂપે પ્રગટ કરે છે.મનુષ્યનુ મન ઇચ્છાનો ભંડાર છે અને આત્મા જ્ઞાનનો.મનુષ્ય દેહ ક્રિયા શક્તિની ચેષ્ટા કરે છે, એ પ્રમાણે કાર્ય કરે છે,અભિવ્યક્ત કરે છે.મહાદુર્ગાની અભિવ્યક્તિ રાજસિક છે કારણ કે મહાકાલી સ્વરૂપે છે.
મહા સરસ્વતીની શક્તિ આધ્યાત્મિક મંત્રો અને સ્તુતિમા દિવ્ય સ્પંદનોના ગુણગાન કરે છે. પ્રેમ,સરળતા,સહાનુભૂતિ,સહનશીલતા,ક્ષમાભાવ જેવા સાત્વિક ગુણ મહાલક્ષ્મીની શક્તિથી ઉત્પન્ન થાય છે.
જ્યારે આપણે મહાકાલીની આરાધના કરીએ છે ત્યારે મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા પણ કરીએ છે.આમ મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઉપાસનામા પણ થાય છે.એટલે કે એકની ઉપાસના કરતા સમયે ત્રણેની પૂજા થાય છે.કારણ કે ત્રણે શક્તિ દરેકના હ્રદયમા સર્વોચ્ચ રૂપે એક સાથે અભિવ્યક્ત થાય છે.
આદ્યશક્તિની આરતીમા તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમા બેઠા,ત્રયા થકી તરવેણી તું તરવેણી મા.આ ત્રણ સ્વરૂપનુ વર્ણન છે.આ ત્રણ શક્તિ તારનારી છે.
નવરાત્રીમા માતા દુર્ગા અર્થાત શક્તિની ઉપાસનાનો અર્થ છે કે ભીતરની શક્તિને ઓળખવી અને યોગ્ય રીતે કાર્યાન્વિત કરવી.
શક્તિ અથવા ઉર્જા પ્રકૃતિના રૂપે,ઉલ્લાસીત રૂપે,ક્રિયાશીલતા રૂપે,પ્રસન્નતા રૂપે અભિવ્યક્ત થાય જ છે.
શક્તિના પ્રવાહને સકારાત્મક તરફ વાળવા નવ દિવસની આરાધનાનુ પ્રાવધાન છે.સમસ્ત જીવોમા માતાજી ચેતના,બુદ્ધિ,ધૃતિ,શક્તિ,શાંતિ,શ્રદ્ધા,કાંતિ,તુષ્ટિ,દયા આદિ રૂપે સ્થિત છે.
દેવીની આરાધનાનો અર્થ છે કે મનુષ્યમા શક્તિને સાથે સાથે કરૂણા,દયા,ચેતના,બુદ્ધિ,તુષ્ટિ જેવા ગુણો હોય.
સૃષ્ટિસ્થિતે વિનાઘાનાં શક્તિભૂતે સનાતનિ
ગુણાશ્રયે ગુણમયે નારાયણિ નમોસ્તુતે
.